મધ્યપ્રદેશના નીમચમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક દલિત મહિલાની હિંમતને સૌ કોઈ સલામ કરી રહ્યા છે. અહીંની આંગણવાડીમાં રસોઈયા તરીકે કામ કરતા કંચનબાઈ મેઘવાલે લગભગ 20 બાળકોના જીવ બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું હતું. બાળકો અને મૃત્યુ વચ્ચે કંચન બાઈ ઢાલ બનીને ઉભી રહી.
મામલો શું હતો?
મધ્યપ્રદેશના નીમચમાં રામપુર નામનું એક ગામ છે. કંચનબાઈ મેઘવાલ મંડાવડા ગ્રામ પંચાયતના આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે રસોઈ બનાવે છે. એક દિવસ જ્યારે તેઓ રસોઈ બનાવી રહ્યા હતા અને બાળકો આંગણવાડી કેમ્પસમાં રમી રહ્યા હતા ત્યારે મધમાખીઓના ઝૂંડે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. પોતાના જીવનની પરવા કર્યા વિના કંચનબાઈએ નજીકમાં પડેલા તાડપત્રી અને સાદડીઓ ઉપાડી અને બાળકોને ઢાંકવા લાગી. એક પછી એક, તેણીએ તમામ બાળકોને તેમાં લપેટી લીધાં.

એ પછી તેમને પોતાના શરીરની ઢાલ બનાવીને આંગણવાડીની અંદર પહોંચાડ્યા. પરંતુ જ્યારે તે મધમાખીઓ અને બાળકો વચ્ચે આવીને ઉભા રહ્યાં તો મધમાખીઓએ તેમના પર હુમલો કરી દીધો. સેંકડો મધમાખીઓએ કંચનબાઈને ડંખ માર્યા. તેમ છતાં, તે પાછળ હટી નહીં અને છેલ્લું બાળક સુરક્ષિત ન થાય ત્યાં સુધી બાળકોને બચાવવાનું ચાલુ રાખ્યું.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં બે સગીરોએ મળી સગીર મિત્રની હત્યા કરી

મીડિયા રિપોર્ટ મુજબ, ગામલોકો મદદ માટે પહોંચ્યા ત્યાં સુધીમાં મધમાખીના ડંખથી કંચનબાઈ બેભાન થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર કોન્સ્ટેબલ કાલુનાથ અને પાયલોટ રાજેશ રાઠોડ તાત્કાલિક તેણીને નજીકના સામાજિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી.
આ પણ વાંચો: ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની સજા રદ નહીં કરાય
પોતાના જીવનનું બલિદાન આપીને કંચનબાઈ અમર બની ગઈ
કંચનબાઈ રસોઈયા હતા. તે દરરોજ ગામના બાળકો માટે મધ્યાહન ભોજન બનાવતી હતી. તેઓ તેમના પરિવારનો એકમાત્ર આધાર હતા. તેમના પતિ શિવલાલ લકવાગ્રસ્ત છે અને તેથી ચાલી શકતા નથી. કંચન બાઈ એક પુત્ર અને બે પુત્રીઓને પાછળ છોડી ગયા છે. મંગળવારે પોસ્ટમોર્ટમ પછી જ્યારે તેમનો મૃતદેહ રાણપુર ગામમાં પહોંચ્યો ત્યારે ગામલોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બધાએ તે કંચનબાઈની હિંમતને સલામ કરી, જેણે બાળકોને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો.
कंचन जाटव जी की बहादुरी को नमन 🙏🏻 अक्सर खबरें पढ़ने को मिलती है, आंगनवाड़ी में दलित जाति की महिला ने खाना बनाया तो गांव ने किया विरोध बच्चों ने नहीं किया भोजन ग्रहण, इस महिला आंगनबाड़ी कार्यकर्ता ने उनको जवाब दिया, जब स्कूल के सभी पढ़े लिखे मास्टर प्रिंसिपल स्कूल छोड़ के भागे तब… pic.twitter.com/HQU8O5wm4h
— Baba Manish (@grtbabamanish) February 4, 2026
કંચનબાઈના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા માંગ
જો કે, હજુ પણ મધમાખીઓનો ડર યથાવત છે. આંગણવાડી કેન્દ્ર પાસે એક ઝાડ પર એક મોટો મધપૂડો લટકેલો છે. ગામનો એકમાત્ર હેન્ડપંપ પણ તે જ જગ્યાએ આવેલો છે. લોકોએ ફરીથી હુમલાના ડરથી ત્યાંથી પાણી લાવવાનું બંધ કરી દીધું છે. ગામલોકોની માંગ છે કે મધપૂડો તાત્કાલિક દૂર કરવામાં આવે અને કંચનબાઈના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.
આ પણ વાંચો: કાકોરીમાં દલિત પરિવારને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવા પ્રયાસ










