IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ ન થયું

IPS Puran Kumar ના મૃતદેહનું 4 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ નથી થઈ શક્યું. જાણો તેમના પત્ની સહિતના પરિવારે સરકાર સમક્ષ શું માગણી કરી.
IPS Puran Kumars sucide case

હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમાર(IPS Puran Kumar)ની આત્મહત્યા(suicide)ને ચાર દિવસ થઈ ગયા છે, પરંતુ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવ્યું. તેમના પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ન તો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે કે ન તો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

12 અધિકારીઓ સામે કેસ દાખલ

ચંદીગઢ પોલીસે રાજ્યના DGP શત્રુજીત કપૂર, પંચકુલા કમિશનર, અંબાલા IG અને રોહતક SP સહિત  ટોચના 12 કમાન્ડ અધિકારીઓના નામ નોંધ્યા છે. પોલીસે ગુરુવારે મોડી રાત્રે કેસ નોંધ્યો હતો. હવે, બધા આરોપી અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે આ કેસમાં હરિયાણા DGP શત્રુજીત કપૂર, ADGP સંદીપ ખિરવાર, ADGP અમિતાભ ઢિલ્લોન, ADGP (લેન્ડ ઓર્ડર) સંજય કુમાર, ADGP માટા રવિ કિરણ, પંચકુલા પોલીસ કમિશનર સિવાસ કવિરાજ, અંબાલા રેન્જ IG પંકજ નૈન, રોહતક SP નરેન્દ્ર બિજરાનિયા અને IPS કલ રામચંદ્રનનું નામ આપ્યું છે.

આ પણ વાંચો: ઢોંગી બાબા ચૈતન્યાનંદ સ્વામીએ 17 છોકરીઓનું શોષણ કર્યું! FIR નોંધાઈ

આ કેસમાં ભૂતપૂર્વ DGP મનોજ યાદવ, ભૂતપૂર્વ DGP પીકે અગ્રવાલ, ભૂતપૂર્વ મુખ્ય સચિવ ટીવીએસ એન પ્રસાદ અને ભૂતપૂર્વ ACS રાજીવ અરોરા સહિત અનેક ભૂતપૂર્વ અમલદારોનો પણ સમાવેશ થાય છે.

પરિવારે માંગ કરી હતી કે:

-બધા નામજોગ અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરીને સસ્પેન્ડ કરવામાં આવે.

-તેમની પત્ની અને બે પુત્રીઓને કાયમી સુરક્ષા પૂરી પાડવામાં આવે.

-પરિવારના ગૌરવ અને અધિકારોનું રક્ષણ થવું જોઈએ.

-આ કેસમાં નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જોઈએ.

ન્યાય મળ્યા પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

IPS પૂરણ કુમારનો પરિવાર મક્કમ છે કે જ્યાં સુધી બધા નામજોગ દોષિતો સામે નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ સંજોગોમાં તેમના અંતિમ સંસ્કાર નહીં કરે. દરમિયાન, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ શોક વ્યક્ત કર્યો છે અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે.

આ પણ વાંચો: CJI પર જૂતું ફેંકનાર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધોઃ રામદાસ આઠવલે

પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યું

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ બાબતે ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે જાતિ આધારિત અત્યાચારને કારણે મૃત્યુ પામેલા હરિયાણાના આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારની આત્મહત્યાથી સમગ્ર દેશ આઘાતમાં છે. દેશભરમાં દલિતો સામે અન્યાય, અત્યાચાર અને હિંસાનું જે ચક્ર ચાલી રહ્યું છે તે ભયાનક છે. રાયબરેલીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે રાયબરેલીમાં હરિઓમ વાલ્મીકીની હત્યા, મુખ્ય ન્યાયાધીશનું અપમાન અને હવે એક વરિષ્ઠ અધિકારીની આત્મહત્યા એ સાબિત કરે છે કે ભાજપનું શાસન દલિતો માટે અભિશાપ બની ગયું છે.

તેમણે વધુમાં કહ્યું કે, સામાન્ય નાગરિક હોય કે ઉચ્ચ પદ પરની વ્યક્તિ, અન્યાય અને અમાનવીયતા તેનો પીછો છોડતી નથી. જો ઉચ્ચ પદ પર બેઠેલા દલિતોની આ સ્થિતિ છે, તો કલ્પના કરો કે સામાન્ય દલિત કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો હશે?

આ પણ વાંચો: IPS Puran Kumar આપઘાત કેસમાં 15 IAS-IPS સામે SC-ST Act નોંધાશે!

3.3 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x