મહેસાણા (Mehsana) ના બાસણા ખાતે આવેલી મર્ચન્ટ કોલેજ (Marchant Collage) માં કોલેજના ત્રાસથી તંગ આવી જઈને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામના પ્રવિણભાઈ શ્રીમાળીની દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી. જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં ચે. ત્યારે ગઈકાલે ગાંધીનગર (Gandhinagar) માં ગુરૂ બ્રાહ્મણ સમાજ તેમજ અન્ય સામાજિક સંગઠનો દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે વિધાનસભા સામે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ (Candle March) નું આયોજન કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતક દીકરીને શ્રદ્ધાંજલિમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.
આ શ્રધ્ધાંજલિ સભામાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ(રાજયકક્ષા) ના પૂર્વ મહામંત્રી પી. બી. શ્રીમાળી, ગાંધીનગર ઘટકના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ શ્રીમાળી,પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ સંસ્થાના સુખાનંદ શ્રીમાળી, મહેન્દ્રભાઇ શ્રીમાળી, મહાલક્ષ્મી ક્રેડીટ સોસાયટીના પ્રમુખ રાજુભાઈ પંડયા, તથા રમેશભાઈ શ્રીમાળી, દેવેન પંડયા, દશરથભાઈ પંડયા, સમુહલગ્ન સમિતિના મહામંત્રી મહેન્દ્ર પંડયા, તેમજ જીતુભાઈ શ્રીમાળી વગેરે હાજર રહ્યા હતા.
મહેસાણાની બાસણા કૉલેજમાં આત્મહત્યા કરનાર દલિત દીકરીને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીનગરમાં વિધાનસભા સામે ડો.આંબેડકરની પ્રતિમા સામે કેન્ડલ માર્ચ નીકળી હતી. https://t.co/8UuZM4Fl9o pic.twitter.com/C25rZYRGjM
— khabarantar (@Khabarantar01) February 3, 2025
તેમની સાથે દલિત અધિકાર સંઘ પ્રદેશના મહામંત્રી વસંત જાદવ, ગાંધીનગર જિલ્લાના પ્રમુખ કાંતીભાઇ પરમાર, તથા નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ સમિતિના પ્રમુખ વિઠ્ઠલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ સી. જે. રાઠોડ.આ ઉપરાંત આદિવાસી સમાજના અગ્રણીઓ, તેમજ રોહિત સમાજના પ્રમુખ રમેશભાઈ પરમાર અને કનુભાઈ મહેરિયા વગેરે હાજર રહ્યા હતા.પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ ગાંધીનગર મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટી દલિત અધિકાર સંઘ ગુજરાત આદિવાસી સમાજ ગાંધીનગરના અગ્રણીઓ કે. એન. બામણીયા, ભરતભાઈ મોડીયા, જી. ડી. ભગોરા, ડો બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ ગાંધીનગર રોહિત સમાજ સંગઠન ગાંધીનગર ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા મૃતક દીકરી ઉર્વશી શ્રીમાળી માટે શ્રધ્ધાંજલિ સભા રાખી હતી.
ઉલ્લેખનીય છે કે, બાસણા મહેસાણા ખાતે મરચન્ટ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતી દલિત સમાજની દીકરી ઉર્વશીએ કોલેજના પ્રોફેસરોના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓ સામે કાયદેસરના પગલાં ભરવા અને પરિવાર ની દીકરી ને ન્યાય મળે તે સારું તેમજ દિવંગત દિકરીને શ્રધ્ધાંજલિ પાઠવવા બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું.
Read Also: મરચન્ટ કૉલેજમાં માં દલિત દીકરીની આત્મહત્યામાં આરપારની લડાઈ શરૂ