જો ઘોડી કે ડીજે સાથે જાન લઈને આવ્યા તો નીચે ઉતારીશું…’

19 ફેબ્રુઆરીએ દલિત યુવકના લગ્ન છે અને જાતિવાદી તત્વોએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં ઉપર મુજબની ધમકી આપી છે. હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે.
dr ambedakar song

વસંત પંચમી બાદ ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને એ સાથે જ અમુક રીતિરિવાજોના નામે પોતાની ટંગડી ઉંચી રાખવા મથતા જાતિવાદી તત્વો પણ મેદાનમાં આવવા માંડ્યા છે. હમણાં પાલનપુરના ગાદલવાડા ગામે લુખ્ખા તત્વોએ એક દલિત વરરાજાની જાન પર હુમલો કરવાની ધમકી આપી હતી. જેને લઈને વરરાજા અને તેના પરિવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું. એ પછી 200 પોલીસ જવાનોની સુરક્ષામાં દલિત વરરાજાની જાન નીકળી હતી. તેમ છતાં જાતિવાદી લુખ્ખા તત્વોએ કાંકરીચાળો કર્યો હતો.

એ ઘટનામાં જાતિવાદી તત્વોએ ખૂલ્લેઆમ કોઈ ધમકી નહોતી આપી છતાં દલિત વરરાજા (Dalit Groom) નો ભય સાચો ઠર્યો હતો. હવે એક ગામમાં તો જાતિવાદી તત્વો (Cantiest elements ) એ ખૂલ્લેઆમ દલિત વરરાજા અને તેના પિતાને ધમકી આપી છે કે, જો ભૂલથી પણ જાનમાં ઘોડી પર બેસીને આવ્યા કે ડીજે સાથે આવ્યા તો નીચે ઉતારીશું. એકવીસમી સદીના કહેવાતા આઝાદ ભારતમાં, બંધારણની જોગવાઈ છતાં એક કથિત ઉચ્ચ જાતિના લુખ્ખા તત્વો આ રીતે દલિત વરરાજાને ધમકી આપતા હોય તો વિચારો ત્યાં જાતિવાદને લઈને શું સ્થિતિ પ્રવર્તતી હશે?

મામલો મહિલાઓ પર સૌથી વધુ અત્યાચારો થાય છે તે ગુજરાત (Gujarat) ના પડોશી રાજ્ય રાજસ્થાન(Rajasthan)નો છે. મામલો ટોંક (tonk) ના ખણદેવત (નિવાઈ) (Khandevat) ગામનો છે. અહીં એક દલિત પરિવારે (Dalit Family) ગઈકાલે કલેક્ટર (Collector) ને એક આવેદનપત્ર સુપરત કર્યું, જેમાં જાન લઈને જનાર તેમના દીકરાને ઘોડી પરથી નીચે ઉતારવાની ફરજ પાડવામાં આવશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે અને તેમને ધમકી આપનારાઓ સામે સુરક્ષા અને કાનૂની કાર્યવાહીની માંગ કરાઈ છે.

આ પણ વાંચો: પાલનપુરના ગાદલવાડામાં દલિત યુવકે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું

નાથુલાલ ગંગવાલે જણાવ્યું કે તેમના પુત્ર હેમરાજના લગ્ન 19 ફેબ્રુઆરી 2025 બુધવારે થવાના છે. જાન દત્તવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સુરતરામપુરા ગામે જવાની છે. જ્યાં ઉચ્ચ જાતિના લોકોએ તેમના પુત્ર અને તેના સાસરિયાઓને ધમકી આપી છે કે જો જાન ઘોડી પર બેસીને અને ડીજે સાથે કાઢવામાં આવશે તો તેઓ મારા પુત્રને ઘોડી પરથી નીચે ઉતરી દેશે, એટલું જ નહીં જાનને લીલાં તોરણે ગામમાંથી પાછી કાઢશે.

રાજસ્થાનની ભીમસેના (Bhim Sena) ના જિલ્લા પ્રમુખ અશોક બૈરવા (Ashok Bairwa) એ જણાવ્યું હતું કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ લુખ્ખી દાદાગીરી હાંકતા તત્વોએ દલિતોની એક પણ જાનને ઘોડી પર બેસીને ગામમાંથી નીકળવા દીધી નથી. પણ હવે તેમનો પનારો અમારી સાથે પડ્યો છે અને તેમને બતાવીશું કે કોઈના બાપનું રાજ નથી પરંતું બંધારણ અને કાયદાનું રાજ છે, જ્યાં કોઈપણ વ્યક્તિ ઘોડી પર બેસીને જાન લઈને જઈ શકે છે અને ડીજે પણ વગાડી શકે છે.

અશોક બૈરવાએ વધુમાં કહ્યું કે ગામમાં 70-80 ઘરોમાં કથિત ઉચ્ચ જાતિના લોકોની વસ્તી છે. ત્યારબાદ દલિત સમાજની વસ્તી સૌથી વધુ છે. પરિવારે જાતિવાદી તત્વો વિશે કલેક્ટરને ફરિયાદ કરી છે અને માંગ કરી છે કે પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવે અને ડીજે અને ઘોડા સાથે લગ્નની શોભાયાત્રા દરમિયાન ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને કેસ નોંધવામાં આવે. યોગાનુયોગ એ છે કે, યુપી, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત જ્યાં પણ આ પ્રકારની જાતિવાદને ઉત્તેજન આપતી અને સવર્ણોના કથિત ઉચ્ચ હોવાના અહમ અને દાદાગીરીને પોષતી ઘટનાઓ બની છે ત્યાં ભાજપની સરકારો છે.

ગુજરાતમાં દલિત વરરાજાના વરઘોડા પર છમકલું થયાને અઠવાડિયું પણ નથી થયું ત્યાં હવે પડોશી રાજ્યમાં આવું બન્યું છે જ્યાં દલિત વરરાજાએ પોલીસ સુરક્ષા માંગવી પડી છે.

આ પણ વાંચો: હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુ સંગઠનોએ માર્યો

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x