માયાવતીના ભાઈ આનંદ કુમારનું BSP ના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામું

આનંદ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવતા રહેશે. હાલ રણધીર બેનીવાલને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે.
mayawati

બસપા (BSP) સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતી(Mayawati)ના ભાઈ આનંદ કુમારે (Anand Kumar) પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને રણધીર બેનીવાલ (Randhir Beniwal)ને રાષ્ટ્રીય સંયોજક (National Coordinator) બનાવવામાં આવ્યા છે. આકાશ આનંદ(Akash Anand)ના સ્થાને આનંદ કુમારને બે દિવસ પહેલા જ આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સાથે રામજી ગૌતમ(Ramji Gautam)ને પણ રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા હતા અને તેઓ પોતાના પદ પર ચાલુ રહેશે.

Anand Kumar
Anand Kumar

બસપા સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું, “બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદ કુમાર, જેઓ લાંબા સમયથી નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ સાથે કામ કરી રહ્યા છે અને જેમને તાજેતરમાં રાષ્ટ્રીય સંયોજક પણ બનાવવામાં આવ્યા હતા, તેમણે પાર્ટી અને આંદોલનના હિતમાં એક જ પદ પર કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે આવકાર્ય છે.”
બીએસપી સુપ્રીમોએ આગળ જણાવ્યું કે, “આનંદ કુમાર પહેલાની જેમ બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની જવાબદારી નિભાવતા રહેશે. અને હવે તેમના સ્થાને સહારનપુરના રહેવાસી રણધીર બેનીવાલને રાષ્ટ્રીય સંયોજકની નવી જવાબદારી સોંપવામાં આવી છે.”

બહેનજીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે બસપાના રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ અને રણધીર બેનીવાલ, બસપા(BSP)ના રાષ્ટ્રીય સંયોજક તરીકે તેમના દિશાનિર્દેશો મુજબ દેશના વિવિધ રાજ્યોની જવાબદારીઓ સંભાળશે. માયાવતીએ આશા વ્યક્ત કરી કે તેઓ બંને સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કામ કરશે.


ઉલ્લેખનીય છે કે બીએસપી સુપ્રીમોએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક સહિત તમામ પદો પરથી દૂર કર્યા હતા અને એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેમનો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય. આકાશ આનંદના સ્થાને તેમના પિતા અને પાર્ટીના મહાસચિવ આનંદ કુમાર અને રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને બસપાના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા હતા. પક્ષની જવાબદારીઓમાંથી મુક્ત થયા પછી આકાશ આનંદનો ખુલાસો સામે આવ્યો હતો, ત્યારબાદ તેમને પાર્ટીમાંથી પણ દૂર કરાયા હતા. બસપા સુપ્રીમોએ આકાશ આનંદ પર તેમના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવ હેઠળ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: આકાશ આનંદ પર કાર્યવાહી બાદ Udit Raj એ બસપાઈઓને શું સલાહ આપી?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x