250 Mohalla Clinics closed in Delhi: ભાજપની રેખા ગુપ્તા (Rekha Gupta) સરકાર રાજધાનીમાં આમ આદમી પાર્ટી(AAP)ની સરકારે શરૂ કરેલા મોહલ્લા ક્લિનિક્સ(Mohalla Clinics)ને બંધ (Close)કરવાનું નક્કી કરી લીધું છે. પહેલા ભાજપ સરકાર તેનું નામ બદલીને જન આરોગ્ય મંદિર (Jan Arogya Mandir) કરવાનું વિચારી રહી હતી પરંતુ હવે દિલ્હીના આરોગ્ય મંત્રીએ 250 મોહલ્લા ક્લિનિક બંધ કરવાની જાહેરાત કરી છે. તેની પાછળનું કારણ એવું મનાય છે કે આ ક્લિનિક ભાડાની જગ્યાઓમાં ચાલી રહ્યા છે. જ્યારે સત્ય એ છે કે કોઈ પણ મોહલ્લા ક્લિનિકનું પોતાનું મકાન નથી અને તે અન્ય સરકારી ઇમારતો, પોર્ટા કેબિન વગેરેમાંથી જ સંચાલિત થઈ રહ્યા છે.
દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે ગુરુવારે જાહેરાત કરી હતી કે શહેરમાં ભાડાની જગ્યાઓમાં ચાલતા લગભગ 250 મોહલ્લા ક્લિનિક્સ બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ક્લિનિક્સ ફક્ત કાગળ પર ચાલી રહ્યા છે અને ભાડાના પૈસા કમાઈ રહ્યા છે. તેમણે કહ્યું, “મોહલ્લા ક્લિનિક એક છેતરપિંડી છે. આવા 250 થી વધુ ક્લિનિક્સ બંધ કરવામાં આવશે કારણ કે તે કાર્યરત નથી. અમે અમારી સરકારી જમીન પર કામ કરીશું. ભ્રષ્ટાચારને રોકવા માટે, આવા ક્લિનિક્સ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.”
The BJP government of Delhi will shut down 250 Mohalla Clinics.
Bye to Free Healthcare For All! pic.twitter.com/lBMtqnwRtg— SK Iyer (@iyer_sk) March 7, 2025
હકીકતમાં આ સમગ્ર કવાયત શિક્ષણ, આરોગ્ય અને જાહેર પરિવહનને ખાનગી લોકોને સોંપી દેવાનો એક ભાગ છે. રેખા ગુપ્તા સરકાર મોહલ્લા ક્લિનિક બંધ કરીને નર્સિંગ હોમ અને ખાનગી હોસ્પિટલોને ફાયદો કરાવવા માંગે છે.
આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે આયુષ્માન ભારત યોજના માટે નોંધણી પ્રક્રિયા 8 માર્ચ પછી શરૂ થશે, જે રાષ્ટ્રીય રાજધાનીમાં આરોગ્ય સંભાળની પહોંચ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપના રેખા ગુપ્તા અને તેમના છ મંત્રીઓના શપથ ગ્રહણના થોડા કલાકો પછી કેન્દ્ર સરકારની આ મુખ્ય યોજનાને દિલ્હી કેબિનેટે 20 ફેબ્રુઆરીના રોજ પસાર કરી હતી.
સિંહે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર ટૂંક સમયમાં આ યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરશે. આ યોજના હેઠળ પાત્ર લોકો (દિલ્હીના સૌથી ગરીબ પરિવારોમાંથી અંદાજે 6.54 લાખને) 5 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. દિલ્હી સરકાર પાત્ર લાભાર્થીઓને 5 લાખ રૂપિયાનું વધારાનું કવરેજ આપશે.
મોહલ્લા ક્લિનિકના ભવિષ્ય અંગે મંત્રીએ કહ્યું કે તેમણે દરેક જિલ્લામાં એક મોહલ્લા ક્લિનિકને જન આરોગ્ય મંદિરમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી છે, જે 30 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી સરકારની મુખ્ય યોજના હેઠળ દિલ્હીમાં 546 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા હતા.
रेखा सरकार मोहल्ला क्लीनिक बंद करने जा रही हैhttps://t.co/ewwYhKY2Sv
— Jansatta (@Jansatta) March 7, 2025
સિંહે કહ્યું, “અમે એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ; અમે તેને ટૂંક સમયમાં લોન્ચ કરીશું. તેમણે કહ્યું કે લોકોને દંત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં 10 દંત આરોગ્ય વાન પણ શરૂ કરવામાં આવશે. દિલ્હી સરકાર હોસ્પિટલો અને દવાખાનાઓ માટે દવાઓ ખરીદવા માટે પીએમ જન ઔષધિ સાથે એક એમઓયુ પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના ખાતરી આપે છે કે, ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ બધા નાગરિકોને પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ થાય. આ યોજના હેઠળ, જન ઔષધિ કેન્દ્ર નામના સમર્પિત આઉટલેટ્સ ખોલવામાં આવે છે, જ્યાં જેનેરિક દવાઓ પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
સિંહે કહ્યું, “મારો દવા માફિયા સાથે કોઈ સંબંધ નથી. અમે પ્રધાનમંત્રી જન ઔષધિ પાસેથી દવાઓ ખરીદીશું, જ્યાં અમને સારી દવાઓ મળશે અને નાણાકીય નુકસાનની ભરપાઈ પણ થશે. આગામી 100 દિવસમાં તમે બદલાયેલી દિલ્હી જોશો. આ પગલાં ઉપરાંત, મંત્રીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ બેડ ફાળવણી અને EWS ક્વોટા પર કડક દેખરેખ રાખવામાં આવશે, જેમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે બે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.
સિંહે એ પણ નિર્દેશ કર્યો કે દિલ્હીમાં લગભગ 20% ડિલિવરી હોસ્પિટલોની બહાર થાય છે, એક એવા આંકડા જેને સરકાર સંસ્થાગત ડિલિવરીને પ્રોત્સાહન આપીને સુધારવા માંગે છે. દિલ્હીની આરોગ્ય સુવિધામાં સુધારા માટેની પોતાની પ્રતિબદ્ધતાને રિપીટ કરતા મંત્રીએ ચેતવણી આપી, “જે કોઈ પણ ખોટું કામ કરશે તેને બક્ષવામાં આવશે નહીં.”
આ પણ વાંચો: કપડવંજ કઠલાલના પ્રમુખની બેઠક SC માંથી General કરી દેવાઈ