હોળીમાં ડીજે વગાડવા બદલ દલિત યુવકની છરી મારી હત્યા

ડીજે વગાડવામાં થયેલા વિવાદમાં ચાર સવર્ણ યુવકોએ દલિત યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક યુવકના પિતા ઈન્સપેક્ટર છે છતાં આરોપીઓને કાયદાનો ડર ન લાગ્યો.
dalit murder

એ વાત હવે કોઈથી છુપી નથી કે હોળી-ધૂળેટીનો તહેવાર હવે માત્ર કહેવા પુરતો પ્રેમ-ભાઈચારાનો તહેવાર રહી ગયો છે. હકીકતે આ તહેવારમાં જ મારામારી-હત્યાની સૌથી વધુ ઘટનાઓ બને છે. મોટાભાગે તેમાં જૂની અદાવત અને પ્રેમ પ્રકરણ જવાબદાર હોય છે. જો કે, જાતિવાદી તત્વો આમાં પણ દલિતોને સબક શીખવાડવાના ઈરાદાથી લુખ્ખાઈ પર ઉતરી આવતા હોય છે. આ ઘટનામાં પણ આવું જ બન્યું હતું.

મામલો બિહારના ગોપાલગંજનો છે. જ્યાં હોળી દરમિયાન ડીજે વગાડવાના વિવાદમાં એક દલિત યુવાનની છરી મારીને ક્રૂરતાથી હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે. ઘટના નવાદા ખાસ ગામમાં બની હતી. મૃતકનું નામ પ્રકાશ માંઝી છે, તેના પિતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઈન્સપેક્ટર છે. યુવકની ઉંમર 25 વર્ષ હતી. યુવકના પરિવારજનોએ શહેર પોલીસ સ્ટેશનમાં SC-ST એક્ટ હેઠળ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો, જેમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે.

14 માર્ચની સાંજે વિવાદ થયો હતો

SDPO પ્રાંજલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 14 માર્ચની સાંજે ડીજે વગાડવાના વિવાદમાં પ્રકાશ માંઝી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઘાયલ પ્રકાશને સારવાર માટે સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મૃત્યુ બાદ પરિવારના સભ્યોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા. જોકે, પોલીસે રાત્રે મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ કર્યા પછી પરિવારને સોંપી દીધો હતો.

પ્રકાશની હત્યાના બીજા દિવસે 15 માર્ચે પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને મુખ્ય આરોપી સહિત ચાર લોકોની ધરપકડનો દાવો કર્યો હતો, ત્યારબાદ પરિવારે મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા. દરમિયાન, શહેર નિરીક્ષક ઓમપ્રકાશ ચૌહાણે જણાવ્યું હતું કે હત્યામાં વપરાયેલ છરી પણ ઘઉંના ખેતરમાંથી મળી આવી છે. હાલ પોલીસે ગામમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છે.

હજુ બે આરોપીઓ ફરાર, શોધખોળ ચાલું

પોલીસે હત્યા કેસમાં છ લોકો વિરુદ્ધ નામજોગ એફઆઈઆર નોંધી છે અને ચાર આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપીઓમાં નવાદા ખાસ ગામના રહેવાસી રંજન કુમાર ગુપ્તા, સુજીત કુમાર, બિટ્ટુ કુમાર અને પ્રકાશ કુમાર સાહનો સમાવેશ થાય છે. જ્યારે ફરાર આરોપી ચંદન સાહની શોધમાં પોલીસ દરોડા પાડી રહી છે.

આ પણ વાંચો: Dihuli massacre: 24 દલિતોની હત્યામાં 44 વર્ષે ન્યાય મળશે 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
2 months ago

Aane kevay BJP nu Ram raj

Narsinhbhai
Narsinhbhai
2 months ago

અરે, એવું સમજો કે મૃતક યુવાનના પિતા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી છે છતાં ચાર હત્યારા સવર્ણ યુવાનોને
શું ફરક પડે છે, કેમકે દેશમાં ચોતરફ “મનુસ્મૃતિ” નાં
કાળા કાયદાનું અનુશાસન ચાલી રહ્યું છે!
જયભીમ જય ભારત જય સંવિધાન!

પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
2 months ago

હોળીકા માતાજી ની લોકો પુજા અર્ચના કરે છે, પરંતુ દર વર્ષે સળગાવે છે તો હોળીકા માતાજી નો શું વાંક હશે?કે લોકો દર વર્ષે સળગાવી ને ઉત્સવ મનાવે છે, હોળીકા માતાજી નેં જીવતા સળગાવ્યા હશે?એ પણ નબળી માનસિકતા નો શિકાર બન્યા હશે?
અને જાતિવાદી માનસિકતા આજે પણ ઈર્ષ્યા અને નફરત થીં અનુસુચિત જાતિના લોકોનાં મર્ડર કરી રહ્યા છે…

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
3
0
Would love your thoughts, please comment.x
()
x