કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ‘સંસદ ચલો’ માર્ચ અને દિલ્હીના જંતર-મંતર પર થઈ રહેલા વિરોધ-પ્રદર્શનએ દેશના રાજકારણને ગરમાવી દીધું છે. પેપર લીક, પરીક્ષામાં ગડબડી અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઊઠેલા યુવા આંદોલને વિખરાયેલા વિપક્ષને એકજૂથ અને મુખર થવાનું એક મજબૂત હથિયાર આપી દીધું છે. સંસદથી સડક સુધી વિરોધ તેજ થવાથી કેન્દ્ર સરકારની ચિંતાઓ વધી ગઈ છે.
સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે સંસદની અંદર વિપક્ષના તીખા તેવર દેખાયા તો સંસદની બહાર પણ વિરોધ-પ્રદર્શનનો પડઘો પડ્યો. સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અને વિદ્યાર્થીઓના સંસદ માર્ચ દરમિયાન પોલીસના લાઠીચાર્જથી વિપક્ષને સરકાર પર દબાણ વધારવાની તક મળી ગઈ છે.

વિપક્ષે પેપર લીક, રામ મંદિર દાન વિવાદ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. પેપર લીક પર પહેલાથી જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા વિપક્ષી દળોએ હવે સંસદની અંદર આ મુદ્દાને પૂરા જોશ સાથે ઉઠાવવાની રણનીતિ બનાવી છે.
આ પણ વાંચો: ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?
સીજેપી આંદોલનથી બેકફૂટ પર સરકાર
સરકાર કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં પેપર લીકના મુદ્દા પર ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા આંદોલનને અણદેખું કરતી રહી હતી. સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે દિલ્હીના રસ્તાઓ પર હજારો યુવાનોના જમાવડાએ વહીવટીતંત્રને હલબલાવી નાખ્યું છે. લાંબા સમયથી ચૂપકિદી સાધીને બેઠેલી કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓના તેવર જોઈને વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાનું સીજેપીના પ્રતિનિધિઓ સાથે સોમવારે મુલાકાત કરવી એ વાતનો પ્રત્યક્ષ પુરાવો છે કે સરકાર આંદોલનના વધતા પ્રભાવથી દબાણ અનુભવી રહી છે. જંતર-મંતરથી યુવાનોના સંસદ કૂચ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર આંસુ ગેસ અને લાઠીચાર્જની તસવીરોએ જનમાનસને હચમચાવી દીધું. પોલીસ દ્વારા કરાયેલા બળપ્રયોગે સરકારના વલણ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા, જેનાથી બેકફૂટ પર આવેલી સરકારને બચાવપક્ષે સફાઈ આપવી પડી.

આ પણ વાંચો: જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યું!
વિખરાયેલા વિપક્ષને એકજૂથ કરી દીધો
ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલાં વિપક્ષ પૂરી રીતે વિખરાયેલો હતો, પરંતુ સોમવારે પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જે તેમને એકજૂથ કરી દીધા છે. સંસદ અને સડક પર પોતાની વાતને આક્રમક રીતે રજૂ કરવા માટે સંઘર્ષ કરી રહેલા વિપક્ષી દળો માટે સીજેપી આંદોલન રાજકીય સંજીવની માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, વિપક્ષને ફરીથી મુખર થવાનું એક મજબૂત હથિયાર પણ મળી ગયું છે. વિપક્ષને બેરોજગારી, પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ પદ્ધતિની નિષ્ફળતાઓ પર સરકારને ઘેરવા માટે એક તૈયાર સામાજિક જમીન મળી ગઈ.
કોંગ્રેસથી લઈને સપા અને આરજેડી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ એક સૂરે સરકાર પર નિશાન સાધતી નજરે પડી. કોંગ્રેસ, સપા અને અન્ય પ્રમુખ વિપક્ષી દળોના ટોચના નેતાઓએ મોડું કર્યા વિના વિદ્યાર્થીઓ અને સોનમ વાંગચુકના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો. સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં જ આ મુદ્દાને લઈને સરકારને ઘેરવાની રણનીતિથી વિપક્ષની એકજૂથતા અને મુખરતા સ્પષ્ટપણે ઝળકી રહી છે.
વિપક્ષી દળોએ સંસદની અંદર અને બહાર આ મુદ્દાને ઉઠાવતાં સરકારને ઘેરવામાં કોઈ છૂટછાટ ન આપી. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં પેપર લીકથી લઈને વિદ્યાર્થીઓના આંદોલન પર થયેલી કડકાઈનો મુદ્દો ઉઠાવ્યો અને સરકાર પર યુવાનોનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. સપા પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી. સાંસદ ચંદ્રશેખર આઝાદ ધરણા પર બેસી ગયા છે.
આ પણ વાંચો: 7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે રેપ કર્યો, પોલીસે SC-ST એક્ટ ન લગાડ્યો
વિપક્ષનો આરોપ છે કે દેશના મોટા મુદ્દાઓ પર જવાબ આપવાથી સરકાર ભાગી રહી છે. વિપક્ષ ઈચ્છે છે કે સંસદમાં આ મુદ્દા પર ચર્ચા થાય, જવાબદેહી નક્કી થાય અને સરકાર પોતાનો પક્ષ મૂકે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાફ કહ્યું કે સંસદ દેશના બાળકોની છે અને કોઈની જાગીર નથી. આ દેશના બાળકો છે, દેશનું ભવિષ્ય છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે સરકાર પર લોકોની ચિંતાઓ પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આરોપ લગાવ્યો.
સપાએ ખોલ્યો સડકથી સંસદ સુધી મોરચો
જંતર-મંતર પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં સપા ખુલ્લીને ઊભેલી નજરે પડી. વિદ્યાર્થીઓની માંગણીઓના સમર્થનમાં સમાજવાદી પાર્ટીના અનેક સાંસદોએ વરિષ્ઠ નેતા ડિમ્પલ યાદવની આગેવાનીમાં સંસદ ભવનથી જંતર-મંતર સુધી માર્ચ કરી. સપા સાંસદોએ પોતાના હાથમાં ‘નીટ છે કે ચીટ છે’ ના બેનરો પકડ્યા હતા, જોકે તેમને રસ્તામાં રોકી દેવામાં આવ્યા.
સપાએ ‘એક્સ’ (X) પર પોસ્ટ કરીને કહ્યું કે ડિમ્પલ યાદવની અટકાયત કરવી એ નિંદનીય અને અલોકતાંત્રિક છે. પાછળથી સપાએ ડિમ્પલ યાદવની સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની તસવીરો પણ શેર કરી. પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે નીટના વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ, પોલીસ પ્રદર્શનકારીઓ સામે આંસુ ગેસનો ઉપયોગ, લાઠીચાર્જ અને પથ્થરમારો કરી રહી છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?











