‘બ્રાહ્મણોને શરમ આવે છે..’ ‘Phule’ વિવાદ પર Anurag Kashyap આકરા પાણીએ

Phule Controversy: ફૂલે ફિલ્મનો બ્રાહ્મણો સતત વિરોધ કરી રહ્યાં છે ત્યારે ડિરેક્ટર અનુરાગ કશ્યપે જાતિવાદ મુદ્દે મોદી સરકાર અને સેન્સર બોર્ડની બરાબરની ઝાટકણી કાઢી છે.
phule movie

Phule Controversy: પ્રતિક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફૂલે(Phule Movie)નો વિવાદ ચાલુ છે. સેન્સર બોર્ડે (CBFC) ફિલ્મમાં ઘણા કાપ મૂકવાનું સૂચન કર્યું છે. હવે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે (Anurag Kashyap) એક લાંબી પોસ્ટ કરી છે. જેમાં સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ ‘ફૂલે’ સિવાય તેમાં એ બધી ફિલ્મો વિશે પણ વાત કરી જે સેન્સર બોર્ડના કારણે અટવાઈ ગઈ છે.

અનુરાગ કશ્યપે(Anurag Kashyap) પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી. જેમાં લખ્યું છે કે, ‘પંજાબ 95’, ‘ટીસ’, ‘ધડક 2’ અને હવે ‘ફૂલે’, મને ખબર નથી કે હજુ કેટલી ફિલ્મો બ્લોક છે, જે આ જાતિવાદી અને ધાર્મિક સરકારનો એજન્ડા દર્શાવે છે. સરકારે આ ફિલ્મો પર એટલા માટે પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તે અરીસામાં પોતાનો ચહેરો જોઈને શરમ અનુભવે છે. મને એટલી શરમ આવે છે કે હું તેના વિશે વાત પણ કરી શકતો નથી. તેમને એક ફિલ્મ સામે આટલી બધી તકલીફ કેમ છે?

આ ઉપરાંત અનુરાગે(Anurag Kashyap) ‘ધડક 2’ પર પણ એક લાંબી પોસ્ટ કરી હત. જેમાં તેણે લખ્યું હતું કે, ‘ધડક 2’ ની સ્ક્રીનિંગ સમયે સેન્સર બોર્ડે કહ્યું કે, મોદીજીએ ભારતમાં જાતિ વ્યવસ્થાનો અંત લાવી દીધો છે. તે જ આધારે ‘સંતોષ’ પણ ભારતમાં રિલીઝ થઈ ન હતી. હવે બ્રાહ્મણોને ‘ફૂલે’ સામે વાંધો છે. અરે ભાઈ, જ્યારે (મોદીજીએ જાતિ વ્યવસ્થાનો અંત લાવી દીધો છે) કોઈ જાતિ વ્યવસ્થા જ નથી તો પછી ક્યાનો બ્રાહ્મણ? તમે કોણ છો? તમને કેમ આટલી બધી જલન થઈ રહી છે? જો કોઈ જાતિ વ્યવસ્થા જ નહોતી તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ કેમ હતા?

આ પણ વાંચો:  મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

અનુરાગે (Anurag Kashyap) આગળ લખ્યું, ”કાં તો તમારો બ્રાહ્મણવાદ છે જ નહીં, કારણ કે મોદીજીના ભારતમાં કોઈ જાતિ વ્યવસ્થા નથી?” કે પછી તમે બધા મળીને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો? ભાઈ, સાથે મળીને નક્કી કરો. ભારતમાં જાતિવાદ છે કે નહીં? લોકો મૂર્ખ નથી. તમે બ્રાહ્મણ છો કે ઉપર બેઠેલા તમારા બાપ બ્રાહ્મણ છે, તે નક્કી કરી લો”

અનુરાગ કશ્યપે (Anurag Kashyap) બીજી પોસ્ટમાં લખ્યું, “મારો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ ફિલ્મ સેન્સર બોર્ડમાં જાય છે, ત્યારે તેમાં ચાર બોર્ડ સભ્યો હોય છે. તે સભ્યો સિવાય ફિલ્મ અન્ય ગ્રુપો સુધી કેવી રીતે પહોંચે છે? કેમ કે તેમની પાસે તો ફિલ્મ સુધી પહોંચવાની પણ સુવિધા નથી. આ આખી સિસ્ટમમાં ગોટાળો થઈ રહ્યો છે.”

ઉલ્લેખનીય છે કે ફૂલે ફિલ્મ(Phule Movie)નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી બ્રાહ્મણો અને મનુવાદીઓએ તેને લઈને વિવાદ ઉભો કરી દીધો હતો. આ ફિલ્મ જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત છે. તેમણે શોષિત વર્ગ માટે જે કામ કર્યું તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તેનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા અનંત નારાયણ મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે.

તાજેતરમાં આ ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેમાં સેન્સર બોર્ડ (CBFC) દ્વારા 12 ફેરફારો સૂચવવામાં આવ્યા હતા. ઘણા સંવાદો કાઢી નાખવાનું કહેવામાં આવ્યું હતું અને કેટલાક ટૂંકા કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઐતિહાસિક સંદર્ભો અને સબટાઈટલમાં પણ ફેરફારો કરવાનું કહેવામાં આવ્યું હતું. પહેલા આ ફિલ્મ ૧૧ એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 25 એપ્રિલે રિલીઝ થશે

આ પણ વાંચો: સેન્સર બોર્ડ ‘Phule’ ફિલ્મના મૂળ હેતુને મારી નાખવા માંગે છે?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x