ઉત્તરસંડાના યુવકના મોત બાદ તેને ગમતું બાઈક પણ સાથે દફનાવાયું

18 વર્ષના યુવકનું માર્ગ અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારે તેને ગમતું બાઈક તેની સાથે દફનાવ્યું.
uttarsanda bike funeral

આણંદ જિલ્લાના ઉત્તરસંડામાં એક યુવકના મોત બાદ તેના પરિવારે યુવકના મૃતદેહ સાથે તેને ગમતું બાઈક પણ તેની સાથે દફનાવ્યું હતું. મૃતક યુવકને તેનું બાઈક સૌથી પ્રિય હતું, તે જીવની જેમ તેને સાચવતો હતો. પરંતુ અકસ્માતમાં યુવકનું મોત થતા પરિવારે તેની અન્ય ચીજવસ્તુઓની સાથે તેને સૌથી વધુ ગમતા બાઈકને પણ સાથે દફનાવી તેને અંજલિ આપી હતી.

આ ઘટનાની મળતી માહિતી મુજબ ઉત્તરસંડાના ખ્રિસ્તી ફળીયામાં રહેતા સંજય પરમારનો પુત્ર ક્રિશ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. ક્રિશે ધોરણ 12 સારા ગુણ સાથે પાસ કર્યું હતું અને આગળ તેને બીસીએ કરવું હતું. આથી તે 26મીના રોજ આણંદમાં આવેલી કોલેજમાં ફોર્મ ભરવા માટે ગયો હતો. એ પછી મિત્રો-સગા-સંબંધીઓને મળ્યા બાદ રાતના 8 વાગ્યાની આસપાસ તે તેના ઘર તરફ જવા નીકળ્યો હતો. એ દરમિયાન ઉત્તરસંડા પાસે જ આગળ જતા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ તેનું બાઈક ધડાકાભેર અથડાયું હતું.

આ પણ વાંચો: પાટણના જાખોત્રામાં પ્રેમીયુગલે દલિત વૃદ્ધને જીવતા સળગાવ્યા

આ બનાવમાં ક્રિશને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ તુરંત જ તેને આણંદ-લાંભવેલ રોડ પરની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી, આખરે શનિવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેના મોતને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ક્રિશને તેનું બાઈક સૌથી પ્રિય હોવાથી તેના પરિવારે તેની અંતિમક્રિયા દરમિયાન તેનું મનગમતું બાઇક પણ તેની સાથે જ દફનાવી દીધું હતું.

ક્રિશના પિતા સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, ક્રિશને બાઈકનો શોખ ખૂબ હતો. મારી પાસે કાર હોવા છતાં તે હંમેશા બાઈક લઈને જ ફરતો હતો. આ બાઈક તેને જીવની જેમ વહાલું હતું. ક્રિશ તો અમને છોડીને જતો રહ્યો, હવે એનું બાઈક કોઈ કામનું નથી. બાઈક નજર સામે રહે તો પણ અમને તેની યાદ સતાવે. આથી અમે નક્કી કર્યું કે ક્રિશનું બાઈક મર્યા પછી પણ તેની સાથે રહેવું જોઈએ. એટલે અમે તેના કપડાં, બુટ સહિતના સામાનની સાથે તેને મનગમતાને પણ તેના મૃતદેહ સાથે દફનાવ્યું છે. એ રીતે અમે તેની આખરી ઈચ્છા પણ પુરી કરી છે.

આ પણ વાંચો: સારવારના અભાવે 11 વર્ષની રેપ પીડિતા દલિત બાળકીનું મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x