સરકારી ભરતીઓમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવા માંગ કરાઈ

સરકારી ભરતીઓમાં SC-ST વર્ગના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવા માટે ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
qualifying marks for sc st i

સરકારી ભરતીઓમાં SC-ST વર્ગના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવા માટે ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાંસદે ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ-3ની ભરતીમાં ST/SC કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માગણી કરી છે. ગુજરાત સરકારને નિયમમાં સુધારો કરીને ST/SC માટે લાયકાત 40%થી ઘટાડીને 30% કરવામાં આવે એવી રજૂઆત કરી છે.

જશુભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને લેખેલ પત્રમાં વર્ગ-3ની તમામ ભારતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી ST/SC કેટેગરીનાં ઉમેદવારો માટે લાયકાત ધોરણ 40% માં 10%ની છૂટછાટ આપવા બાબત રજૂઆત કરી છે.

qualifying marks for sc st i

આ પણ વાંચો: દલિતોના વિરોધમાં શરૂ કરાયેલો ‘ગણેશોત્સવ’ દલિતોએ ઉજવવો જોઈએ?

તેમણે લખ્યું છે કે, હાલમાં પોલીસ ભરતીનું જે પરિણામ આવ્યું છે તેમાં, તેમજ વર્ગ-3ની અન્ય તમામ ભરતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી ST/SC કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ધોરણમાં ભારત સરકારનું ભરતી બોર્ડ SSC જેવી મહત્ત્વની પરીક્ષાઓ જેમકે SSC CHSL અને CGI વગેરેની પરીક્ષામાં જનરલ માટે મિનિમમ માર્ક્સ 30% છે. આ સિવાય EWS અને OBC માટે 5%ની છૂટછાટ આપી 25% કરવામાં આવી છે. જેથી ગુજરાત સરકાર દ્વારા પણ ભારત સરકારની જેમ પોલીસ કોન્સ્ટેબલ, CCE માં તેમજ આવનાર રેવન્યુ તલાટી તેમજ વર્ગ-3ની અન્ય તમામ ભારતીઓ ST/SC કેટેગરીના ઉમેદવારોને 10% છૂટછાટ આપવામાં આવે એવી ખાસ ભલામણ કરી છે.

જશુભાઈ રાઠવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર દ્વારા SC/ST ઉમેદવારોના હિત માટે સરકાર સમક્ષ મહત્ત્વની માંગણી કરવામાં આવી છે, જે આગામી સમયમાં રાજ્યના હજારોથી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડી શકે છે.

આ પણ વાંચો: અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ એકસાથે ફિનાઈલ પી લીધી

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x