કુકી સ્ત્રી સાથે લગ્ન કરનાર મેઈતેઈ પુરુષની જાહેર રસ્તા પર હત્યા

યુવક હાથ જોડીને છોડી માટે વિનંતી કરતો રહ્યો, તેમ છતાં હુમલાખોરોએ ગોળી મારી દીધી. વીડિયો વાયરલ.
Meitei man murderd

મણિપુરમાં ચાલી રહેલી વંશીય હિંસા વચ્ચે બીજી એક ભયાનક ઘટના સામે આવી છે. ચુરાચંદપુર જિલ્લામાં અજાણ્યા સશસ્ત્ર માણસો દ્વારા મેઈતેઈ સમાજના 38 વર્ષીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવક મૃત્યુ પહેલાં પોતાના જીવન માટે વિનંતી કરતો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટના લાંબા સમયથી ચાલી રહેલી વંશીય હિંસાના મુખ્ય કેન્દ્ર ચુરાચંદપુરમાં બની હતી. જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યા પછી જ અધિકારીઓને ગુનાની જાણ થઈ હતી. વીડિયોમાં એક વ્યક્તિ અંધારામાં ધૂળિયા રસ્તા પર બેઠો છે, હાથ જોડીને વારંવાર બે સશસ્ત્ર માણસોને પોતાને છોડી દેવા માટે વિનંતી કરી રહ્યો છે. તેની વિનંતી છતાં હુમલાખોરોમાંથી એક તેને નજીકથી ગોળી મારી દે છે, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ જાય છે.

આ પણ વાંચો: ‘દલિત થઈને તમારી હિંમત કેવી રીતે થઈ ખુરશી પર બેસવાની?’

પોલીસે મૃતકની ઓળખ મયાંગલંબમ ઋષિકાંત તરીકે કરી છે, જે કાકચિંગ જિલ્લાનો રહેવાસી છે. તે 38 વર્ષનો હતો અને તેણે ચુરાચંદપુરની એક કુકી મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેણે એક આદિવાસી નામ જિનમિન્થાંગ નામ પણ અપનાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે નેપાળમાં કામ કરતો હતો અને ટૂંકી રજા માટે ચુરાચંદપુર પાછો ફર્યો હતો. રાત્રે લગભગ 10:30 વાગ્યે, પોલીસને માહિતી મળી કે તે સાંજે અજાણ્યા હુમલાખોરો દ્વારા ઋષિકાંતનું અપહરણ કરવામાં આવ્યું છે. બાદમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મેઇતેઇ સંગઠનોનો દાવો છે કે ઋષિકાંતનું તેની પત્ની સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ એમ પણ કહે છે કે ઋષિકાંતની પત્નીએ કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને તુઇબુંગ વિસ્તારના સ્થાનિક અધિકારીઓ પાસેથી તેના પતિ ચુરાચંદપુર પહોંચે તે પહેલાં પરવાનગી મેળવી હતી, કારણ કે તે નેપાળમાં કામ કરતો હતો અને રજા પર ઘરે પાછો ફર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, અપહરણ અને હત્યા પાછળ યુનાઇટેડ કુકી નેશનલ આર્મી (UNKA) ના સભ્યોનો હાથ હોવાની શંકા છે.

આ પણ વાંચો: જમ્મુની વૈષ્ણો દેવી કૉલેજની MBBS ની મંજૂરી કેમ પાછી ખેંચી લેવાઈ?

સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO) કરાર હેઠળ કુકી બળવાખોર જૂથોની છત્ર સંસ્થા KNO એ આજે સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે સંગઠનને મયાંગલંગમની મુલાકાત વિશે કોઈ જાણકારી નહોતી કે ન તે આ ઘટનામાં સામેલ હતું. સંગઠન સ્પષ્ટ કરે છે કે કોઈપણ સંજોગોમાં આપણા લોકોના કોઈપણ અન્ય સમાજના જીવનસાથીને આવી કોઈપણ પ્રવૃત્તિઓનો ભોગ નહીં બનવું પડે.”

ઉલ્લેખનીય છે કે, મે 2023 માં હિંસા શરૂ થઈ ત્યારથી મેઇતેઈ અને કુકી સમાજો સામાન્ય રીતે એકબીજાના વિસ્તારોમાં જવાનું ટાળી રહ્યા છે. જેનાથી મણિપુર જાતીના આધારે અંદર સુધી વિભાજિત થઈ ગયું છે. લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષે 260 થી વધુ લોકોના જીવ લીધા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.

આ પણ વાંચો: મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x