સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?

જો શિક્ષિત હોવું એ 'બ્રાહ્મણ'નું લક્ષણ હોય તો નહેરુ નહીં ડૉ.આંબેડકર જ સાચા બ્રાહ્મણ હતા. સુબ્રમણ્ય સ્વામીએ આવું કેમ કહ્યું?
true Brahmin Nehru or Ambedkar

મનુવાદીઓ જિનિયસ ડો.આંબેડકરને ‘બ્રાહ્મણ’ ગણાવવા માટે જાતભાતના પેંતરાઓ કરતા રહે છે. ખાસ કરીને બુદ્ધિ જાણે બ્રાહ્મણોનો ઈજારો હોય તેમ દરેક બાબતમાં હોંશિયાર લોકોને બ્રાહ્મણ ગણાવી તેને પોતાનામાં ભેળવી દેવાનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું રહે છે. આવું જિનિયસ ડૉ.બાબાસાહેબ આંબેડકરની બાબતમાં વારંવાર બનતું રહે છે.

મનુવાદીઓ એ બાબત આજ દિન સુધી પચાવી નથી શક્યા કે તેમણે વર્ણવ્યવસ્થા થકી જેમને અછૂત જાહેર કરી હાંશિયામાં ધકેલી દીધી હતી, તે જાતિમાંથી આવેલી એક વ્યક્તિએ આ દેશનું બંધારણ ઘડ્યું અને દુનિયાભરમાં તેને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તેઓ વારંવાર ડૉ.આંબેડકરને બ્રાહ્મણ ગણાવી પોતાનામાં ભેળવવા પ્રયત્નો કરતા રહે છે. આવું જ કંઈક ભાજપના પૂર્વ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું છે. તેમણે ડૉ.આંબેડકરને બ્રાહ્મણ ગણાવ્યા છે. જો કે, તેની પાછળનો તેમનો તર્ક જુદો છે, પરંતુ આશય તો બાબાસાહેબને બ્રાહ્મણ બનાવી દેવાનો જણાય છે.

તમે હિન્દુ ધર્મમાં જાતિ વ્યવસ્થા વિશે ઘણી વાર સાંભળ્યું હશે… ડૉ.આંબેડકર માનતા હતા કે હિન્દુ ધર્મમાં જાતિ વ્યવસ્થા એ જાતિવાદનું મૂળ છે, અને જાતિ વ્યવસ્થા જ જાતિ ભેદભાવનું સૌથી મોટું કારણ છે. આ જ કારણ હતું કે બ્રાહ્મણોએ નક્કી કર્યું હતું કે શુદ્રો અને પછાત વર્ગોને ક્યારેય શિક્ષિત કરવામાં આવશે નહીં, કે તેમને ક્યારેય ધાર્મિક ગ્રંથો શીખવવામાં આવશે નહીં; તેઓ કાયમ સેવા કરશે, અને તેમનો જન્મ સેવા કરવા માટે જ થયો છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર અને ગાંધીજી પણ જેમની સલાહ લેતા એ કોણ?

પરંતુ દલિત સમાજ માટે લડનારા મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેએ બ્રાહ્મણવાદી માનસિકતાના મોં પર આકરો તમાચો ઝીંક્યો અને પોતાને તેમજ દલિત-બહુજન સમાજોને શિક્ષિત કરવા માટે કામ કર્યું. તેમણે સમજાવ્યું કે શિક્ષણ ફક્ત બ્રાહ્મણો માટે અનામત રાખેલો જન્મસિદ્ધ અધિકાર નથી. ફૂલે દંપતિની શિક્ષણ અને સામાજિક સમાનતા માટેની એ લડાઈ વર્ષોથી ચાલુ રહી અને આજે પણ ચાલુ છે.

પરંતુ બાબા સાહેબ આંબેડકર એકમાત્ર એવી વ્યક્તિ છે જે મહાનતમ વિદ્વાનોને પણ પડકાર ફેંકી શકે છે. જિનિયસ ડો.આંબેડકરના જ્ઞાન પર ચિંતન કરતાં ભાજપના વિવાદાસ્પદ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ડૉ.આંબેડકર અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની તુલના કરતી વખતે નહેરુને બદલે ડૉ.આંબેડકરને બ્રાહ્મણ ગણાવ્યા હતા. સવાલ એ થાય કે, નેહરુ અને આંબેડકર વચ્ચે આ સરખામણી શા માટે કરવામાં આવે છે?

જ્યારે આપણે દેશના બે મહાન વિદ્વાનો, ડૉ.આંબેડકર અને જવાહરલાલ નેહરુ વિશે વાત કરીએ છીએ, ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે નેહરુના બેવડા ધોરણોએ બાબા સાહેબને રાજકારણ છોડવાની ફરજ પાડી હતી, અને તેમણે ગુસ્સે થઈને કાયદા મંત્રી પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. એવું પણ કહેવાય છે કે નેહરુ ક્યારેય ઇચ્છતા ન હતા કે બાબા સાહેબ બંધારણ સભાનો ભાગ બને, પરંતુ ગાંધીજીના આગ્રહને કારણે તેમને બંધારણ સભાનો ભાગ બનાવવામાં આવ્યા હતા. જો કે, આ તર્કને પણ અનેક લોકો ખોટો માને છે. ડૉ. લક્ષ્મણ યાદવ કહે છે કે, એ સમયે દેશમાં ડૉ.આંબેડકરથી બુદ્ધિશાળી, તાર્કિક કોઈ વ્યક્તિ હતી જ નહીં, જે બંધારણ ઘડવા જેવું અત્યંત અઘરું, મહાન અને ઐતિહાસિક કાર્ય પાર પાડી શકે.

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?

નહેરુના કારણે ડો.આંબેડકર હારી ગયા હતા

નેહરુ વિશે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે બાબા સાહેબે 27 સપ્ટેમ્બર, 1951 ના રોજ મતભેદોને કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ત્યારે તેમણે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન હેઠળ 1951-52 માં પ્રથમ લોકસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યું. પરંતુ જવાહરલાલ નેહરુએ બાબાસાહેબના જ એક સમયના પીએ નારાયણ એસ. કાજરોલકરને તેમની સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા, જે પોતે પછાત જાતિના હતા. આશ્ચર્યજનક રીતે, નારાયણ કાજરોલકર દૂધના વેપારી હતા અને હંમેશા રાજકારણથી દૂર રહેતા હતા. જોકે, કોંગ્રેસ અને નેહરુએ ડૉ.આંબેડકરને નબળા પાડવા માટે અથાક મહેનત કરી. પ્રથમ વડા પ્રધાન તરીકે દેશમાં તેમનો પ્રભાવ પણ મજબૂત હતો. પરિણામે, નેહરુના ચૂંટણી મેદાનમાં વ્યક્તિગત પ્રવેશથી નારાયણ કાજરોલકરમાં લોકોનો વિશ્વાસ વધ્યો, જેના કારણે બાબા સાહેબની કારમી હાર થઈ. નેહરુની હાર બાબા સાહેબનું નોંધપાત્ર અપમાન હતું.

true Brahmin Nehru or Ambedkar

સુબ્રમણ્યમ સ્વામીએ ડૉ.આંબેડકરને સાચા બ્રાહ્મણ કેમ કહ્યા?

સુબ્રમણ્યમ સ્વામીએ એક વાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમની નજરમાં, સાચા બ્રાહ્મણ બાબા સાહેબ હતા, નહેરુ નહીં. સ્વામીના આ નિવેદન પાછળનું કારણ બ્રાહ્મણવાદી વિચારસરણી છે. આપણે બધા જાણીએ છીએ કે શૂદ્ર જાતિના હોવાને કારણે, બાબા સાહેબે દરેક પગલે જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો, પછી ભલે તે શિક્ષણ હોય કે નોકરી. પરંતુ તેમણે હાર ન માની, છતાં તેમણે હાર માની નહીં અને જે શિક્ષણ પર બ્રાહ્મણો પોતાનો એકાધિકાર સમજતા હતા, તેમાં તેમનાથી અનેકગણા ચડિયાતા સાબિત થઈને પોતાને સાબિત કર્યા. આજે ડૉ.આંબેડકર બહુજન સમાજ માટે ‘સિમ્બોલ ઓફ નોલેજ’ છે. યુવાવર્ગ જિનિયસ ડો.આંબેડકરને પોતાના આદર્શ માની શિક્ષણ, નોકરીમાં આગળ નીકળી રહ્યા છે. જે બ્રાહ્મણોથી સહન નથી થઈ રહ્યું. અને એટલે જ તેઓ બાબાસાહેબને વારંવાર બ્રાહ્મણ ગણાવી તેમને પોતાનામાં ભેળવી દેવા માંગે છે. સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન આ સ્ટ્રેટેજીનો જ એક ભાગ હોઈ શકે છે.

બાબા સાહેબે ઘણા સંઘર્ષો દ્વારા આ સ્તર પ્રાપ્ત કર્યું હતું. તેમણે તમામ મુશ્કેલીઓનો સામનો કરીને અમેરિકા અને બ્રિટન જઈ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. બાબા સાહેબે તેમના સમગ્ર જીવનમાં આશરે 32 ડિગ્રીઓ મેળવી હતી.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરે ‘નોટબંધી’ વિશે કરેલી આગાહી સાચી પડી

બીજી તરફ જ્યારે જવાહરલાલ નહેરુની વાત કરીએ, તો તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેમણે ક્યારેય જાતિ ભેદભાવનો સામનો કર્યો ન હતો અને ન તો તેઓ ક્યારેય ગરીબીમાં જીવ્યા હતા.

લંડન ઇનર ટેમ્પલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો

નેહરુ 1907 માં કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજ ગયા અને 1910 માં નેચરલ સાયન્સમાં ઓનર્સ ડિગ્રી મેળવી. 1910 માં સ્નાતક થયા પછી તેમણે લંડન ઇનર ટેમ્પલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો અને ભારત પરત ફરીને વકીલાત શરૂ કરી હતી. તેમના પિતા, મોતીલાલ નેહરુ બ્રિટિશ ભારતના સૌથી ધનિક બેરિસ્ટરોમાંના એક હતા, જેઓ એ જમાનામાં દર મહિને 10,000 રૂપિયાથી વધુ કમાતા હતા. તેમણે ક્યારેય ગરીબી કે અભાવનું દુઃખ અનુભવ્યું ન હતું. જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતાની લડાઈનો ભાગ બન્યા, મહાત્મા ગાંધી સાથેના તેમના જોડાણને કારણે લોકપ્રિયતા મેળવી અને તેમના પ્રિય નેતા બન્યા.

જ્યારે બાબા સાહેબે આખી જિંદગી પછાત અને દલિતોના ઉત્થાન માટે લડ્યા. જો આપણે શિક્ષણના આધારે બ્રાહ્મણ કોણ તેની પસંદગી કરીએ, તો તે બાબતમાં બાબા સાહેબ નેહરુથી ક્યાંય આગળ હતા, નેહરુ તેમના શિક્ષણ અને જ્ઞાનની નજીક પણ નહોતા.

આ પણ વાંચો: UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Arvind Nathalal Gohil
Arvind Nathalal Gohil
12 days ago

खैर तो सुब्रह्मण्यम स्वामी से ये सवाल पूछा जाना चाहिए कि मोहन भागवत,मोदी और योगी आदित्यनाथ में से सच्चा ब्राह्मण कौन है ???

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x