કેરળ નીતિન રાજ આત્મહત્યા મુદ્દે 52 દલિત સંગઠનો આંદોલન કરશે

કેરળમાં દલિત ડેન્ટલ વિદ્યાર્થી નીતિન રાજના આપઘાતના કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવી 52 દલિત સંગઠનોએ રાજ્યવ્યાપી હડતાળની આહ્વાન કર્યું છે. જાણો શું છે માંગ?
Keralas Nitin Rajs suicide

તિરુવનંતપુરમ: કેરળની અંજરકંડી સ્થિત કન્નૂર ડેન્ટલ કોલેજના પ્રથમ વર્ષના દલિત વિદ્યાર્થી નીતિન રાજ આર.એલ.ના રહસ્યમય મૃત્યુના કેસમાં ન્યાયની માંગ માટે જનઆંદોલન છેડાયું છે. આ ઘટનામાં પોલીસની તપાસ પક્ષપાતી અને અપૂરતી હોવાનો આક્ષેપ કરીને રાજ્યના 52 દલિત સંગઠનોની સંયુક્ત કાર્ય પરિષદે આગામી 28 એપ્રિલે રાજ્યવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અમલી રહેશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તપાસમાં થઈ રહેલી રાજકીય દખલગીરી અટકાવવાનો અને કેરળ હાઈકોર્ટની સીધી દેખરેખ હેઠળ ન્યાયિક તપાસની ખાતરી કરવાનો છે.

જાતિવાદ અને માનસિક સતામણીના ગંભીર આક્ષેપો

ઉઝામલક્કલના એક સામાન્ય મજૂરનો પુત્ર 22 વર્ષીય નીતિન રાજ ગત વર્ષે સપ્ટેમ્બરમાં અનેક પ્રયત્નો બાદ NEET પાસ કરીને BDSમાં પ્રવેશ પામ્યો હતો. જોકે, ગત 10 એપ્રિલે કોલેજ બિલ્ડિંગના પાંચમા માળેથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. મૃતક વિદ્યાર્થીના પરિવાર અને તેના સાથી વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન અને ફેકલ્ટી સભ્યો પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચો: ‘તારે રૂપિયાની શું જરૂર?’ કહી ભાજપ નેતાએ દલિત યુવકના રૂપિયા લઈ લીધાં

આક્ષેપ છે કે ઓરલ પેથોલોજી વિભાગના વડા ડૉ. એમ. કે. રામ અને ડૉ. કે. ટી. સંગીતા નામ્બિયાર દ્વારા નીતિનને તેની જ્ઞાતિ અને રંગના આધારે સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ પ્રકારના ભેદભાવપૂર્ણ વર્તનથી કંટાળીને નીતિને અંતિમ પગલું ભર્યું હોવાની પ્રબળ શક્યતા છે, છતાં પોલીસ મૂળ કારણો પર ધ્યાન આપવાને બદલે અન્ય પાસાઓ રજૂ કરી રહી છે.

તપાસમાં પોલીસની ભૂમિકા સામે સંગઠનોનો રોષ

સંયુક્ત કાર્ય પરિષદના મહાસંયોજક સની એમ. કપ્પિકાડે મીડિયા સમક્ષ તપાસની વિશ્વસનીયતા પર પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે પોલીસ જાણીજોઈને મુખ્ય દોષિતોને બચાવવા માટે કેસને ગેરમાર્ગે દોરી રહી છે. પોલીસ દ્વારા એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે નીતિન લોન એપના ઉત્પીડનથી પરેશાન હતો, પરંતુ દલિત સંગઠનો આ થીયરીને પાયાવિહોણી ગણાવે છે. કાર્ય પરિષદનો આક્ષેપ છે કે નીતિનના માતા-પિતાએ ફેકલ્ટીના ત્રાસ અંગે લેખિતમાં ફરિયાદ આપી હોવા છતાં પોલીસે તે મુદ્દા પર FIR નોંધી નથી. આ વિલંબ અને પુરાવાઓ સાથેની છેડછાડ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે 24 એપ્રિલે વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન માટેની બેઠકોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  સુરતમાં મહિલાઓએ 29 કિલો કાંસામાંથી ડો.આંબેડકરની પ્રતિમા બનાવી

10 કરોડના વળતરની માંગ

સંયુક્ત કાર્ય પરિષદે આ કિસ્સામાં રાજ્ય સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. સંગઠનોની મુખ્ય માંગણી છે કે નીતિન રાજના પરિવારને ન્યાયના ભાગરૂપે ₹10 કરોડનું વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, જે કોલેજમાં વિદ્યાર્થી સુરક્ષિત નથી તેવી કન્નૂર ડેન્ટલ કોલેજની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

ફરાર થઈ ગયેલા બંને ફેકલ્ટી સભ્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને જેલભેગા કરવાની માંગણી સાથે સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે પારદર્શક અને સમયબદ્ધ તપાસ વિના આંદોલન અટકશે નહીં. કેરળ હાઈકોર્ટ આ મામલે મધ્યસ્થી કરે તો જ સત્ય બહાર આવશે તેવી સંગઠનોની મક્કમ માન્યતા છે.

આ પણ વાંચો: “તમારી ઔકાત છે મારી હોટલની ખુરશી પર બેસીને સમોસા ખાવાની?”

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x