Delhi Election Result LIVE : નવી દિલ્હીથી કેજરીવાલ પાછળ

Delhi Election Result 2025 LIVE: દિલ્હી વિધાનસભાની ચૂંટમીના શરૂઆતના પરિણામો આવી રહ્યાં છે, જાણો મતદારો કઈ દિશામાં વળ્યાં છે.

New Delhi Election Result 2025 LIVE: દિલ્હી વિધાનસભા ચૂંટણીના શરૂઆતના પરિણામો આવવા લાગ્યા છે. શરૂઆતમાં ભાજપ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી પાછળ છે. ભાજપના પ્રવેશ સિંહ વર્મા તેમનાથી આગળ છે. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે. જો કે કેજરીવાલ અને પ્રવેશ વર્મા વચ્ચે બહુ ઓછા મતોનું અંતર છે.
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર નવી દિલ્હી વિધાનસભા બેઠક પર કુલ ૧,૮,૫૭૪ મતદારો છે. જેમાંથી 61 હજાર 224 મત પડ્યા હતા. એટલે કે ૫૬.૪૧ ટકા મતદાન થયું હતું. જેમાં ૩૨ હજાર ૪૯૭ પુરુષ અને ૨૮ હજાર ૭૪૬ મહિલા મતદારો છે.
નવી દિલ્હી બેઠક હોટ સીટ બની
નવી દિલ્હી વિધાનસભા બેઠક આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠક રહી છે. AAP કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અહીંથી ત્રણ વખત ધારાસભ્ય છે. અને તે ચોથી વખત મેદાનમાં ઉતર્યા છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચોઃ Delhi Exit Poll: 26 વર્ષ પછી ભાજપની વાપસી,નહીં આવે કેજરીવાલ?

આ બેઠક મોટાભાગે પોશ વિસ્તાર છે. અહીં કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓ માટે મોટી સંખ્યામાં સરકારી ક્વાર્ટર્સ પણ છે. આ વિધાનસભા બેઠક પર OBC અને અનુસૂચિત જાતિની વસ્તી નોંધપાત્ર છે. જાતિના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ આ બેઠક પર વાલ્મીકિ સમાજના મતદારોની સંખ્યા સૌથી વધુ છે. એ પછી, ધોબી સમાજનું પણ સારું પ્રતિનિધિત્વ છે. એક અંદાજ મુજબ, વાલ્મીકિ સમાજના મતદારોની સંખ્યા લગભગ 20 હજાર હોઈ શકે છે. જ્યારે ધોબી મતદારોની સંખ્યા લગભગ 15 હજાર છે.

ભાજપના નેતા પ્રવેશ વર્માએ આ ચૂંટણીમાં પોતાની બધી તાકાત અને સંસાધનો લગાવી દીધા છે. 25 ડિસેમ્બરે, જ્યારે કેટલીક મહિલાઓ લાડલી યોજનાનું ગેરંટી કાર્ડ અને હાથમાં 11 રૂપિયા લઈને તેમના સરકારી નિવાસસ્થાનમાંથી બહાર આવી, ત્યારે AAPએ ભારે હોબાળો મચાવ્યો. પાર્ટીએ પ્રવેશ વર્મા વિરુદ્ધ ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી હતી અને તેમના પર રોકડ વહેંચવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત, કોંગ્રેસના સંદીપ દીક્ષિત આ સ્પર્ધાને ત્રિકોણીય બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે એક્ઝિટ પોલમાં જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે તેવું જ પરિણામ આવે છે કે બીજું કંઈ.

આ પણ વાંચોઃ 2035 સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાશે, મહાકુંભમાં જાહેરાત

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x