દિલ્હીમાં દલિત અને મુસ્લિમ મતદારો કોંગ્રેસથી કેમ દૂર રહ્યા?

રાહુલ ગાંધીના તમામ બંધારણ બચાવો પરિષદો છતાં દલિતો અને મુસ્લિમોએ કોંગ્રેસને ટેકો કેમ ન આપ્યો? શું દલિતો-મુસ્લિમોને એવું લાગે છે કે કૉંગ્રેસ તેમના પ્રત્યે જેટલી વફાદાર હોવી જોઈએ તેટલી છે નહીં?
rahulgandhi

દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly elections) ના પરિણામો હવે બધાની સામે છે. આમ આદમી પાર્ટી (AAP) અને તેના મોટા નેતાઓની હાર અને ભાજપ (BJP) ની પ્રચંડ જીત પછી હવે કોણે કોને અને શા માટે મત આપ્યો તે વિશ્લેષણ કરવાનો સમય છે. લોકનીતિ અને CSDS એ આ મામલે ડેટા જાહેર કર્યો છે, જે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં સ્પષ્ટ છે કે આ વખતે સવર્ણ જાતિઓએ ભાજપને બમ્પર મત આપ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી મુસ્લિમ (Muslim Voters) અને દલિત (Dalit Voters) સમાજનું સમર્થન મેળવવામાં સફળ રહી છે. અહેવાલમાં દરેક જાતિનો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એ મુજબ, 66 ટકા બ્રાહ્મણ (Brahmin Voters) મતદારોએ ભાજપને મત આપ્યા. જ્યારે ૨૬ ટકાએ આમ આદમી પાર્ટીને અને ૫ ટકાએ કોંગ્રેસને મત આપ્યો છે. વાણિયા સમાજની વાત કરીએ તો, બ્રાહ્મણોની જેમ તેમના 66 ટકા લોકોએ પણ ભાજપને મત આપ્યા છે. આમ આદમી પાર્ટીને આ સમાજના 25 ટકા મત મળ્યા છે અને કોંગ્રેસ (Congress) ને 7 ટકા મત મળ્યા છે.

dalit

 

દિલ્હીની ચૂંટણીમાં પંજાબી સમાજ (Panjabi Community) પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણી પ્રચારમાં તેના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, તેમને તેનાથી કોઈ ફાયદો થયો નથી. પંજાબી વાણિયાઓમાં ફક્ત 26 ટકા લોકોએ AAP ને ટેકો આપ્યો, જ્યારે 67 ટકા લોકોએ ભાજપ અને 5 ટકા લોકોએ કોંગ્રેસને પસંદ કરી. તેવી જ રીતે, 60 ટકા ઠાકુરોએ ભાજપને મત આપ્યો, જેમાંથી લગભગ અડધા એટલે કે 33 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને અને 4 ટકા લોકોએ કોંગ્રેસ(Congress) ને મત આપ્યો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રની ચૂંટણીમાં 5,04,313 ‘વધારાના’ મતોનો હિસાબ કોણ આપશે?

જેમ ઉચ્ચ જાતિના લોકોએ ભાજપને ભારે મતદાન કર્યું હતું, તેમ આમ આદમી પાર્ટીને મુસ્લિમ અને દલિત મતદારોનો ટેકો મળ્યો છે. ૬૫ ટકા મુસ્લિમોએ આમ આદમી પાર્ટીને મત આપ્યો જ્યારે ૧૬ ટકા લોકોએ કોંગ્રેસ(Congress) ને મત આપ્યો. જોકે, ભારતીય જનતા પાર્ટી મુસ્લિમોના 15 ટકા મત મેળવવામાં સફળ રહી જે તેના માટે બોનસ સાબિત થઈ.

દલિતોમાં જાટવ (Jatav Votes) અને વાલ્મીકિ (Valmiki) બે મુખ્ય જાતિઓ છે. જાટવ મતદારોની વાત કરીએ તો માહિતી અનુસાર, ૫૮ ટકા જાટવોએ આમ આદમી પાર્ટીને, ૩૪ ટકાએ ભાજપને અને ૪ ટકાએ કોંગ્રેસ(Congress) ને મત આપ્યો. વાલ્મીકિ જાતિના દલિતોમાં આમ આદમી પાર્ટીને 67 ટકા મત મળ્યા, જ્યારે 25 ટકા લોકોએ ભાજપને અને 9 ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો. આ બે મુખ્ય દલિત જાતિઓ ઉપરાંત, અન્ય દલિત જાતિઓમાં 53 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને, 41 ટકા લોકોએ ભાજપને અને 3 ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો.

જાટ મતદારોમાં 45 ટકા લોકોએ ભાજપને, 44 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને અને 5 ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો, જ્યારે ગુર્જરોમાં 49 ટકા લોકોએ ભાજપને, 44 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને અને 5 ટકા લોકોએ કોંગ્રેસ(Congress) ને મત આપ્યો.
યાદવ સમાજ AAP અને BJP વચ્ચે સમાન રીતે વહેંચાયેલો દેખાયો. અન્ય પછાત જાતિઓએ ભાજપને વધુ ટેકો આપ્યો. જ્યારે શીખ સમાજના મતો ત્રણેય પક્ષોમાં વહેંચાઈ ગયા હતા. ૪૫ ટકા લોકોએ આમ આદમી પાર્ટીને, ૪૩ ટકા લોકોએ ભાજપને જ્યારે ૧૦ ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો.

દલિત-મુસ્લિમે આપને મત આપ્યા પણ કૉંગ્રેસને નહીં

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જો આમ આદમી પાર્ટીનું સન્માન બચ્યું છે તો તે માત્ર મુસ્લિમ અને દલિત મતોને કારણે છે. જોકે, અહીં એક મોટો પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીના તમામ બંધારણ બચાવો પરિષદો છતાં દલિતો અને મુસ્લિમોએ કોંગ્રેસને ટેકો કેમ ન આપ્યો? સ્વાભાવિક છે કે કોંગ્રેસે આ પ્રશ્નોના જવાબો શોધવા પડશે. શું દલિતો-મુસ્લિમોને હજુ પણ એવું લાગે છે કે કૉંગ્રેસ તેમના પ્રત્યે જેટલી વફાદાર હોવી જોઈએ તેટલી છે નહીં? આવું એટલા માટે લાગે છે, કેમ કે બંધારણ બચાવોની વાતો કરતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસેએ ગેરબંધારણીય એસસી-એસટી પેટા વર્ગીકરણ વિશે હજુ પોતાનું મોં ખોલ્યું નથી. જાહેરમાં બંધારણ બચાવવાની વાતો કરવી અને ખરેખર દલિતો-મુસ્લિમોના હકોને બચાવવાની વાત આવે ત્યારે સવર્ણો નારાજ ન થઈ જાય તે માટે મૌન સેવવું તેવી કોંગ્રેસની ચાલને શું આ બંને સમાજ સમજી ગયા હશે?

જો એવું છે તો તે ચોક્કસ કોંગ્રેસ માટે વધુ મોટો ખતરો હશે. કેમ કે, તેની વધીઘટી શાખ હવે માત્ર દલિત, આદિવાસી અને મુસ્લિમ મતો પર જ નિર્ભર છે. જો તે પણ કૉંગ્રેસ તરફથી મોં ફેરવી લે તો શું દશા થાય તેની કલ્પના કૉંગ્રેસ પણ નહીં કરી હોય.

આ પણ વાંચો: AAP એ હિન્દુત્વવાદી મતદારો તૈયાર કર્યા, પરિણામ તમારી સામે છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x