રાજસ્થાન(Rajasthan)ના અલવર જિલ્લા(Alwar district)ના રામગઢ પોલીસ સ્ટેશન (Ramgarh police station)વિસ્તારના ગોહા ગામમાં (Goha village) 20-25 લોકોએ એક સંપ કરીને એક દલિત પરિવાર પર લાકડીઓ સહિત અનેક ઘાતક હથિયારો વડે હુમલો કર્યો (attacked a Dalit family) હતો. આ હુમલામાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ (Seven people were seriously injured) થયા હતા, જેમાંથી કેટલાકને મોટા આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા છે. જમીન પચાવી પાડવા માટે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, તેમનો પરિવાર રાયડાનો લણવા માટે ખેતરમાં ગયો હતો. એ દરમિયાન આરોપીઓએ તેમની 5 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો કરવાના ઇરાદાથી તેમના પર હુમલો કર્યો હતો. પીડિતોનો આરોપ છે કે આરોપીઓએ મહિલાઓ અને વૃદ્ધોને પણ છોડ્યા નહોતા. હુમલામાં એક વૃદ્ધને આંખ પાસે તીક્ષ્ણ હથિયારથી ઘા મારવામાં આવ્યો હતો, જ્યારે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન કવિતા નામની મહિલાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો. ઘાયલોને રામગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર રીતે ઘાયલ એક મહિલા અને એક પુરુષને અલવર રિફર કરવામાં આવ્યા હતા. પીડિત પરિવારે આ મામલે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે FIR નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
જમીન પચાવી પાડવા હુમલો
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ વિસ્તારમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પીડિત પરિવારનું કહેવું છે કે તેમની ખરીદેલી જમીન પર બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે તેમની પર હત્યાના ઇરાદાથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?
નૌગાંવા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર દયાચંદ મીણાએ જણાવ્યું હતું કે લઘુમતી કોમના લોકોએ દલિત પરિવાર પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 7 થી 8 લોકો ઘાયલ થયા છે. પીડિત પરિવાર દ્વારા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદના આધારે, આ કેસમાં FIR દાખલ કરવામાં આવી છે અને કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જમીન બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો.
દલિત પરિવારના 7 લોકો ઘાયલ
આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દલિત વૃદ્ધ રતનલાલના પુત્ર મુકેશ કુમારે પોલીસમાં લખાવેલા રિપોર્ટ મુજબ રવિવારે સવારે રતનલાલ, મુકેશ, પ્યારેલાલ, અનિલ, મહેન્દ્ર, ચંદ્રકલા, કવિતા, સવિતા, કિરણ, ગુડ્ડી, સાવિત્રી અને બાળકો અરુણ સવારે ખેતરમાં રાયડાના પાકની કાપણી કરવા માટે ગયા હતા.
એ દરમિયાન જમીન પર કબ્જો કરવાના ઈરાદાથી ચૌકી ગામના જમીનદાર રેશમ ખાન સહતિ તેમના પરિવારના 20-25 લોકો લાકડીઓ અને દંડા લઈને આવ્યા અને હુમલો કરી દીધો. પીડિત પરિવારે રિપોર્ટમાં જણાવ્યું છે કે, આરોપીઓએ તેમના પિતા રતનલાલની આંખ પાસે ધારદાર હથિયારથી હુમલો કર્યો. સાથે જ મુકેશની પત્ની કવિતાના હાથ પર ઘા કર્યો, જેનાથી તેને ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે પરિવારના અન્ય પાંચ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પિતા રતનલાલની હાલત ગંભીર હોવાથી તેમને જયપુર રિફર કરાયા છે.
હુમલાખોરો ફરિયાદ બાદ ફરાર થઈ ગયા
મુકેશે જણાવ્યું કે, તેમના પિતા રતનલાલે ગોહા ગામમાં બેરા વાસ રોડ પર 5 વીઘા જમીન ખરીદી હતી. જમીનનો કબ્જો તેમની પાસે છે અને તેમાં તેમણે રાયડો વાવ્યો હતો. ચોકી ગામના જમીનદાર રેશમખાન સહિતના લોકો તે જમીન હડપ કરી લેવા માંગે છે. જેના કારણે તેમણે હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: દલિત પરિણીતાનું અપહરણ કરી દિવસો સુધી દુષ્કર્મ આચર્યું