દલિતો-આદિવાસીઓ અને ઓબીસી સમાજના લોકોને કથિત સવર્ણ જાતિના લોકો અનામતીયા કહીને ઘણીવાર જાહેરમાં ઉતારી પાડતા પણ શરમાતા નથી. પરંતુ આ જ લોકોને નકલી દલિત, આદિવાસી કે ઓબીસી બનીને આ સમાજના હકો પર તરાપ મારવામાં જરાય લાજશરમ આવતી નથી. આવી અનેક ઘટનાઓ સમયાંતરે પ્રકાશમાં આવતી રહે છે અને તાજી ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. વિપક્ષનો આરોપ છે કે અહીં એક મહિલાએ નકલી એસસી સર્ટિફિકેટના આધારે અનુસૂચિત જાતિ સમાજની અનામત સીટ પર ચૂંટણી લડીને રાજ્યમંત્રીનું પદ મેળવી લીધું છે.
મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ રાજ્યમંત્રી (MP Minister of State) પ્રતિમા બાગરી(Pratima Bagri)ના જાતિ પ્રમાણપત્રની માન્યતા અંગેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. અનુસૂચિત જાતિ કોંગ્રેસે મંગળવારે જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિ સમક્ષ તેમના જાતિ પ્રમાણપત્રની તપાસની માંગ કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે પ્રતિમા બાગરી(Pratima Bagri)નું જાતિ પ્રમાણપત્ર ગેરકાયદેસર રીતે જારી કરવામાં આવ્યું છે અને તે અનુસૂચિત જાતિના નથી પરંતુ ઠાકુર/રાજપૂત સમાજ (સામાન્ય) ની છે.
આ પણ વાંચોઃ ‘જય ભીમ’ ક્રિમિનલ લોકોનો નારો છે: ભાજપ ધારાસભ્ય
તપાસ સમિતિ સમક્ષ પુરાવા રજૂ કરાયા
અનુસૂચિત જાતિ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રદીપ અહિરવારના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આ સંદર્ભમાં તપાસ સમિતિને લેખિત ફરિયાદ આપી હતી અને સોગંદનામા સહિત અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. પ્રદીપ અહિરવારે કહ્યું કે જાતિના નામની સમાનતાનો લાભ લઈને પ્રતિમા બાગરી (Pratima Bagri) અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર (SC certificate) મેળવવામાં સફળ રહી, પણ હકીકત એ છે કે તેઓ જનરલ કેટેગરીમાં આવતા ઠાકુર-રાજપૂત સમાજમાંથી આવે છે.
આ પણ વાંચોઃ દલિત મહિલા પર દુષ્કર્મના કેસમાં ભાજપ ધારાસભ્યને પોલીસ રક્ષણ?
કોંગ્રેસનું કહેવું છે કે, “મધ્યપ્રદેશના વિંધ્ય, બુંદેલખંડ અને મહાકૌશલ પ્રદેશોમાં બાગરી (Bagri Community)જાતિને અનુસૂચિત જાતિમાં સમાવવામાં આવી નથી, જ્યારે માળવા અને નિમાડ પ્રદેશોમાં આ જાતિ અનુસૂચિત જાતિમાં આવે છે. જાતિના નામની આવી સમાનતાનો લાભ લઈને પ્રતિમા સિંહ બાગરીએ ખોટી રીતે અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે. આનાથી ન માત્ર અનુસૂચિત જાતિ સમાજના ખરા દાવેદારોના અધિકારોનું ઉલ્લંઘન થયું છે, પરંતુ બંધારણની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન છે.”
મંત્રી પદ અને ધારાસભ્ય સભ્યપદ રદ કરવાની માંગ
પ્રદેશ પ્રમુખ પ્રદીપ અહિરવારે કહ્યું કે તેમની માંગ છે કે પ્રતિમા બાગરી(Pratima Bagri)નું જાતિ પ્રમાણપત્ર રદ કરવામાં આવે. તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને તેમના વિધાનસભા સભ્યપદને રદબાતલ જાહેર કરવી જોઈએ.
પ્રદીપ અહિરવારે કહ્યું, “રૈગાંવ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. જો પ્રતિમા બાગરીનું જાતિ પ્રમાણપત્ર નકલી સાબિત થાય, તો તેમનું સભ્યપદ પણ રદ કરવું જોઈએ અને આ બેઠક પર ફરીથી ચૂંટણી યોજવી જોઈએ જેથી સાચા અનુસૂચિત જાતિ વર્ગના વ્યક્તિને પ્રતિનિધિત્વ મળી શકે.”
આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યે દલિત પરિવારની જમીન હડપ કરી લીધી?
કોંગ્રેસે અનુસૂચિત જાતિ મોરચાએ આ બાબતે ઝડપી નિર્ણય લેવાની માંગ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રસ્તા પર ઉતરી આ અન્યાય સામે વિરોધ કરશે અને કોર્ટમાં જવા મજબૂર થશે.
બંધારણીય જોગવાઈઓ શું કહે છે?
ભારતીય બંધારણ હેઠળ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો ફક્ત એવા ઉમેદવારો માટે અનામત છે જેમને અનુસૂચિત જાતિ સમાજના હોવાનું પ્રમાણિત કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ નકલી જાતિ પ્રમાણપત્રના આધારે ચૂંટણી જીતે છે, તો તેની સામે બંધારણ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 માં કાર્યવાહીની જોગવાઈ છે.
આ પણ વાંચોઃ ભાજપ મહત્તમ રાજ્યોમાં સત્તા મેળવી બંધારણ બદલવા માંગે છે
Modi ji jo khoti degree batave to aano su vank??
Wah barobar che
અનુસૂચિત જાતિ વિભાગ હોય છે કોંગ્રેસ પક્ષમાં મોરચો નથી હોતો તો જરા સુધારો કરજો…