‘પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે…’

પ્રેમલગ્નોને લઈને સ્વામીનારાયણ સંપ્રદાયના હરિપ્રકાશદાસ સ્વામીનો વાણીવિલાસ. સમગ્ર લગ્ન વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા.
Hariprakashdas Swami statement of lovemairrage

ગુજરાતમાં પ્રેમલગ્નોને લઈને હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. અગાઉ કિંજલ દવેના આંતરજાતિય પ્રેમલગ્ન મુદ્દે તેની જાતિના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. એ પછી પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના આંતરજાતિય પ્રેમલગ્ન સામે પણ તેના સમાજના લોકો વિરોધમાં ઉતરી આવ્યા છે. હવે પાટીદારો જે સંપ્રદાયમાં સૌથી વધુ જોડાયેલા છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ પ્રેમલગ્નોને લઈને નિમ્ન કક્ષાનું નિવેદન આપ્યું છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલી હનુમાન ચાલીસા કથામાં સ્વામીનારાયણ સંપ્રદાયના હરિપ્રકાસદાસજી સ્વામીએ ત્રીજા દિવસે પ્રેમલગ્નો વિશે અત્યંત નિમ્ન કક્ષાનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું. પ્રેમ કરવો હો તો રાધા અને કૃષ્ણ જેવો કરવો કારણ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ એ સાચો પ્રેમ હતો.(જો કે, જાતિવાદી તત્વો રાધાકૃષ્ણના પ્રેમને પણ સ્વીકારી શકતા નથી તે હકીકત છે.)

આ પણ વાંચો:  કોણ છે જસ્ટિસ સ્વામીનાથન, જેના પર ‘બ્રાહ્મણવાદી’ હોવાનો આરોપ લાગ્યો છે?

શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી આ નિવેદન આપ્યું હતું. એ વખતે કથામાં 30 હજાર કરતા વધુ શ્રોતાઓ ઉપસ્થિત હતા, જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં હતી.

Hariprakashdas Swami statement of lovemairrage

હરિપ્રકાશદાસજી સ્વામીએ કહ્યું હતું કે, ‘પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં અને અંતે ડેમમાં પડે’ સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે ભદ્દી કોમેન્ટ કરતા કહ્યું હતું કે, ‘જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ તેને અરેન્જ મેરેજ કહેવાય છે, પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય છે.’

પ્રેમલગ્નો વિશે ખોટી માન્યતા ફેલાવી

પ્રેમલગ્ન વિશે તેમણે કહ્યું હતું કે, આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે. આ માટે કહ્યું કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું. સ્વામીજી આમ કહીને પ્રેમલગ્નો વિશે ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે. તેમને ખ્યાલ નહીં હોય કે, પ્રેમ લગ્નમાં યુવક-યુવતી અનેક પ્રકારના જોખમો લઈને, સાચા-ખોટાની પરખ કર્યા બાદ લગ્ન કરતા હોય છે.

આ પણ વાંચો: ‘સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે!’ : શંકરાચાર્ય

એકબાજુ દીકરીઓ પ્રેમલગ્ન કરે તેનો સ્વામીએ વિરોધ કર્યો હતો, બીજી તરફ તેમણે વણમાંગી સલાહ આપતા કહ્યું કે, ‘દીકરીઓએ માત્ર મોડેલ નહીં ઝાંસીની રાણી બનીને પોતાની રક્ષા કરવાની છે. હવે યુનિવર્સિટીઓમાં દીકરીઓના ફોટા ખોટી રીતે જોવા નહીં મળે, કારણ કે આપણી દીકરીઓએ માત્ર ‘મોડેલ’ બનીને નથી રહેવાનું, પણ ‘ઝાંસીની રાણી’ જેવી વીરાંગના બનીને પોતાની રક્ષા પોતે કરવાની છે.’

ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોની પ્રશંસા કરી

સ્વામીજીએ ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જ્યારે ભારતને બિઝનેસ કરતા નહોતું આવડતું, ત્યારે બે કાઠિયાવાડીઓએ દુનિયાને વેપારની નવી દિશા બતાવી. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કરીને આખા ભારતને બિઝનેસના પાઠ ભણાવ્યા છે.

સ્વામીએ મોદી-શાહની જોડીની પ્રશંસા કરી

આમ તો સાધુઓએ વ્યાસપીઠ પરથી કોઈ રાજકીય પક્ષની તરફેણ કે ટીકા ન કરવાની હોય, પરંતુ આ સ્વામીજીએ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ જોડી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહી છે તેનાથી વિશ્વના મોટા દેશો પણ ભારતની તાકાતની નોંધ લેતા થયા છે.

આ પણ વાંચો: રામભદ્રાચાર્યે કહ્યું, ‘વાઈફ એટલે વન્ડરફૂલ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એન્જોય!’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલી અને સભ્યતાનું કાસળ કાઢનાર સામ્પ્રતદાયિક બનાવટી સાધુ, બાવાઓ અને સ્વામીઓના કહેવાતા અંધભક્તોનાં આશ્રમમાં જડબેસલાક ચેકિંગ અને ઓચિંતી મુલાકાત થવી જોઈએ એ જ ભારતીય સમાજ માટે મંગલ જીવનનો શુભ સંકેત ગણાશે, એમાં કોઈ બેમત નથી!
સત્યમેવ જયતે સંવિધાન વિજયતે!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x