પાલનપુરમાં 14મી એપ્રિલે 1500 લોકોએ બંધારણના આમુખનું પઠન કર્યું

પાલનપુરમાં ડૉ.આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ધમ્મ બનાસ બુદ્ધ વિહાર દ્વારા આયોજિત સમતા રેલી અને સભામાં 1500 થી વધુ લોકો દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાયું.
Dr. Ambedkar Jayanti celebrated with pomp in Palanpur

પાલનપુર: ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે પાલનપુર ખાતે ‘ધમ્મ બનાસ બુદ્ધ વિહાર’ ના સાનિધ્યમાં ભવ્ય સમતા રેલી અને પ્રેરણાદાયી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજનો ખૂબ મોટો વર્ગ ઉત્સાહભેર જોડાયો હતો, જેણે સમગ્ર વાતાવરણને મંગલમય અને ઉત્સવમય બનાવી દીધું હતું.

ભવ્ય સમતા રેલીનું આયોજન કાર્યક્રમની શરૂઆત સિવિલ ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી. બુદ્ધ વંદના બાદ પ્રારંભ થયેલી આ સમતા રેલીમાં તમામ ઉપાસક ભાઈ-બહેનો એકતા અને શાંતિના પ્રતિક સમાન સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે દિલ્હી ગેટ, સંજય ચોક, ગુરુનાનક ચોક અને ગઠામણ ગેટથી પસાર થઈ જહાનઆરા બાગ સુધી પહોંચી હતી. આકર્ષણનું કેન્દ્ર નાના બાળકો રહ્યા હતા, જેઓ વિવિધ મહાનાયકોની વેશભૂષામાં સજ્જ થઈને રેલીમાં જોડાયા હતા.

આ પણ વાંચો: ગાંધીનગરમાં રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં બહુજનો ઉમટી પડ્યાં

સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક કાર્યક્રમો રેલી બાદ નગરપાલિકા હોલ ખાતે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સિરોહીથી પધારેલા ડૉ. ભીખ્ખુ નંદવરોએ પોતાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ નોંધાવી હતી. બાળકો દ્વારા બાબાસાહેબના વડોદરાના સંઘર્ષમય જીવન પર આધારિત ‘વડોદરાનો વજ્રઘાત’ નામનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેણે સૌને ભાવવિભોર કર્યા હતા. વધુમાં, બાળકીઓએ મરાઠી ગીત “Nadan Nandan Hote Ramach Nadand” પર સુંદર નૃત્ય પ્રસ્તુત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

Dr. Ambedkar Jayanti celebrated with pomp in Palanpur

મુખ્ય વક્તાનું પ્રવચન અને બંધારણ પઠન સભાને સંબોધતા ડૉ. ભીખ્ખુ નંદવરોએ બાબાસાહેબના જીવન અને વિચારો પર ધારદાર તેમજ પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે ઉપસ્થિત 1500થી વધુ લોકોએ એકસાથે ઊભા રહીને ભારતીય બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું. આ પઠન દ્વારા લોકશાહી અને બંધારણીય મૂલ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. ધમ્મ બનાસ બુદ્ધ વિહાર, પાલનપુર દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમે સમાજમાં એકતા, શિક્ષણ અને જાગૃતિનો મજબૂત સંદેશ પાઠવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં મહિલાઓએ 29 કિલો કાંસામાંથી ડો.આંબેડકરની પ્રતિમા બનાવી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x