telangana 2018 dalit youth murder case : વર્ષ 2018ની એ ઘટના તમને યાદ હશે. 24 વર્ષનો એક દલિત યુવક તેની ગર્ભવતી પત્ની અને માતાને લઈને હોસ્પિટલ આવ્યો હતો એ દરમિયાન કેટલાક ગુંડાઓએ આવીને અચાનક તેના પર હુમલો કરી જાહેરમાં તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. પ્રણવ દલિત સમાજમાંથી આવતો હતો અને તેણે તેની પત્ની અમૃતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અમૃતા કથિત સવર્ણ જાતિમાંથી આવતી હતી અને તેનો પરિવાર તેના એક દલિત યુવક સાથેના લગ્નના ઘોર વિરોધમાં હતો. તેમ છતાં અમૃતાએ જાતિ જોયા વિના તેના નાનપણના મિત્ર એવા પ્રણય સાથે લગ્ન કરીને શાંતિથી રહેતી હતી. પણ તેના પરિવારે તેની જિંદગી બરબાદ કરી નાખી હતી, કેમ કે તેમણે એક પ્રોફેશનલ કિલરને રૂ. એક કરોડની સોપારી આપીને પ્રણયની હત્યા કરાવી નાખી હતી.
હવે આ મામલે કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદ અને અન્ય 6 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. અમૃતાના પિતાએ પ્રણયની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
વર્ષ 2018ની ઘટના
તેલંગાણાના નાલગોંડા શહેરની એક ખાસ કોર્ટે સોમવારે 2018ના કુખ્યાત ‘ઓનર કિલિંગ’ કેસમાં એક પ્રોફેશનલ કિલરને ફાંસી અને છ અન્ય લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. દલિત યુવાન પી. પ્રણયની હત્યાના કેસમાં બિહારના રહેવાસી સુભાષ કુમાર શર્માને SC/ST કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી છે. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ ૨૪ વર્ષીય પ્રણયની ધોળા દિવસે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી જ્યારે તે તેની ગર્ભવતી પત્ની અમૃતા અને માતા સાથે મીર્યાલાગુડાની એક ખાનગી હોસ્પિટલમાંથી બહાર આવી રહ્યો હતો. આ સનસનાટીભરી હત્યા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બાબત રાષ્ટ્રીય સ્તરે વ્યાપકપણે ચર્ચાઈ હતી.
આ પણ વાંચો: DNA રિપોર્ટ તપાસ્યા વિના જજે આદિવાસી આરોપીને 20 વર્ષની સજા ફટકારી
પ્રણયે કથિત ઉચ્ચ જાતિની અમૃતા સાથે લગ્ન કર્યા હતા, પણ તેના ઉદ્યોગપતિ પિતા મારુતિ રાવ તેની વિરુદ્ધ હતા. પ્રમય અને અમૃતા બાળપણના મિત્રો હતા. તેમના લગ્ન 30 જાન્યુઆરી 2018 ના રોજ હૈદરાબાદના આર્ય સમાજ મંદિરમાં થયા હતા. પ્રણયની હત્યા માટે હત્યારાઓને પૈસા આપનાર અમૃતાના પિતા આ કેસમાં મુખ્ય આરોપી હતા. ૭ માર્ચ ૨૦૨૦ ના રોજ તેઓ જામીન પર હતા ત્યારે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. મારુતિ રાવ પર આરોપ હતો કે તેમણે અન્ય આરોપી દ્વારા કોન્ટ્રાક્ટ કિલર સુભાષ શર્માને 1 કરોડ રૂપિયા આપીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
એક આરોપી હરેન પંડ્યાના હત્યા કેસમાં પણ સંડોવાયેલો છે
છ વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ બાદ કોર્ટે મુખ્ય આરોપી સુભાષ શર્માને ફાંસીની સજા ફટકારી છે. અન્ય દોષિતોમાં અસગર અલી, અબ્દુલ બારી, એમ.એ. કરીમ, મારુતિ રાવના ભાઈ શ્રવણ કુમાર અને મારુતિ રાવના કાર ડ્રાઇવર શિવાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અસગર અલી 2003માં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં પણ આરોપી છે. પ્રણયના પિતા પી. બાલાસ્વામીની ફરિયાદના આધારે, પોલીસે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને હત્યાના આરોપો હેઠળ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી.
મૃતક પ્રણયની પત્ની અમૃતાએ પરિવાર સામે કેસ લડ્યો
૧૨ જૂન, ૨૦૧૯ ના રોજ પોલીસે ટ્રાયલ કોર્ટમાં ૧૬૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. મુખ્ય આરોપી સુભાષ શર્મા સિવાયના તમામ આરોપીઓને 2019 માં જામીન મળ્યા હતા. આ કેસમાં ન્યાય માટે લડી રહેલી અને ક્યારેય પોતાના માતાપિતાના ઘરે પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા લેનાર પ્રણયની પ્રેમિકા-પત્ની એવી અમૃતાએ 2019 માં એક પુત્રને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો: સરપંચ સહિત 5 લોકોએ દલિત યુવકને માર મારી બાઈક તોડી નાખ્યું
આ સરકારની માનસિકતા એવી છે પુજિ પતિઓને ફાયદો કરાવનિ નાના માણસ જાતે જ કોટી પ્રવૃત્તિ કરે અને એમને ફસાવવાની કંટાળીને આત્મહત્યા કરે
*મૂર્ખ પિતાએ એક કરોડ રૂપિયાની “હોળી” કરી નાખી છે, કોઈ ગૌરવ પુરસ્કાર વાળું કામ કર્યું નથી, ભારતમાં
“અમૃતકાલ નહિ પરંતુ વિષકાલ” સ્થાપિત કરવામાં આવ્યો છે, એમાં કોઈ બેમત નથી. જયભીમ.