કલોલમાં ક્રાંતિઃ પહેલીવાર પત્નીએ પતિના મૃતદેહને અગ્નિદાહ આપ્યો

કલોલમાં પિતાનું અવસાન થતા પુત્રો માતાને સ્મશાનમાં લઈ ગયા અને તેમના હસ્તે પિતાને અગ્નિદાહ અપાવ્યો. દલિત મહિલાઓ પહેલીવાર સ્મશાનમાં પ્રવેશી.
for the first time a widow cremated her husbands body in kalol

કલોલ શહેરને દલિત-બહુજન સમાજમાં સામાજિક ક્રાંતિનું પાવર સેન્ટર માનવામાં આવે છે. આ શહેર દલિત-બહુજનમાં સામાજિક પરિવર્તનની અનેક મહત્વની ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. જે જમાનામાં લોકો સમાજ સુધારનું નાનકડું પગલું ભરતા પણ સો વાર વિચાર કરતા, એ જમાનામાં આ શહેરના દલિતો-બહુજનોએ અદ્દભૂત ક્રાંતિકારી પગલાં લઈ બતાવ્યા હતા.

આવી જ વધુ એક સામાજિક ક્રાંતિની ઘટના હાલમાં જ કલોલમાં બની છે. જ્યાં એક બૌદ્ધ પરિવારના વડીલનું અવસાન થતા તેમના બંને પુત્રોએ વિધવા માતાને અંતિમયાત્રામાં સ્મશાન સુધી સાથે લઈ જઈ તેમના હાથે અગ્નિદાહ અપાવ્યો હતો. આમ પહેલીવાર કોઈ વિધવાએ પોતાના પતિને અગ્નિદાહ આપ્યો હતો.

વાત આટલેથી અટકતી નથી. બૌદ્ધધર્મી આ પરિવારે પહેલીવાર મહિલાઓને સ્મશાનમાં લઈ ગયો હતો અને તેમના મનમાં રહેલા ડરને ભગાડવા પ્રયત્ન કર્યો હતો. સામાન્ય રીતે દલિત સમાજમાં કોઈ મહિલા વિધવા થાય તો પતિની યાદમાં તેમણે ચૂડી-ચાંદલાનો ત્યાગ કરવો પડે છે અને સફેદ વસ્ત્રો ધારણ કરવા પડે છે. પણ બૌદ્ધધર્મી આ પરિવારે એ પ્રથાને પણ તોડી નાખી હતી અને તેમની માતાને પિતાની હયાતીમાં જેમ રહેતા હતા એ જ રીતે જીવન જીવવા કહ્યું હતું.

આ પણ વાંચો:  દક્ષિણ છારા ‘કૃપયા ધ્યાન દીજિયે’ વેબ સિરીઝ લઈને આવી રહ્યાં છે…

પહેલીવાર દલિત મહિલાઓએ સ્મશાનમાં પગ મૂક્યો

પિતાના મૃત્યુ બાદ બંને પુત્રોએ કોઈપણ પ્રકારની મનુવાદી ધાર્મિક વિધિ કરી નહોતી કે તેમની માતાની બંગડીઓ ભંગાવી નહોતી. મહિલાઓને પહેલીવાર સ્મશાનમાં લઈ ગયા અને તેમને અંતિમવિધિ કેવી રીતે થાય છે તે બતાવીને મનમાં રહેલા ભૂતપ્રેત કે મોતના ડરને ઓછો કર્યો હતો. આ ક્રાંતિકારી ઘટનાએ સમગ્ર કલોલ પંથકના બહુજન સમાજમાં ભારે ચર્ચા જગાવી છે અને સૌ કોઈ આ પરિવારના વખાણ કરી રહ્યાં છે.

 

પહેલીવાર મહિલાઓએ સ્મશાન અંદરથી જોયું

કલોલના બૌદ્ધ ધર્મી મનિષભાઈ અને સુધીરભાઈ શાહના પિતાનું 10 મે 2025ના રોજ 78 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. બંને ભાઈઓએ રૂઢિઓને ફંગોળીને તેમની માતા (અવસાન થનારના વિધવા)ને સ્મશાનમાં લઈ જઈને તેમના હસ્તે પિતાને અગ્નિદાહ અપાવ્યો હતો. મનિષભાઈ અને સુધીરભાઈ તેમના પિતાની અંતિમયાત્રામાં પરિવાર અને સગાસંબંધીઓની મહિલાઓને પણ સ્મશાનમાં સાથે લઈ ગયા હતા અને તેમને અંતિમવિધિ કેવી રીતે થાય છે તે બતાવીને મનમાં રહેલા સ્મશાન અને મૃતદેહના ડરને ભગાવવા પ્રયત્ન કર્યો હતો. આમ પહેલીવાર દલિત મહિલાઓએ સ્મશાનમાં પ્રવેશ કરીને અંદરથી સ્મશાન કેવું હોય છે તે જોયું હતું.

આ પણ વાંચો: દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC-ST-OBC

શાહ પરિવાર
મહિલાઓએ પોતાના અનુભવો વર્ણવ્યા

આ ઘટનાની સાક્ષી બનેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, “આટલી જિંદગી નીકળી ગઈ પણ અમે તો સ્મશાન બહારથી અને માત્ર ફિલ્મોમાં બતાવાતી અંતિમવિધિઓમાં જ જોયું હતું. આજે પહેલીવાર સ્મશાનમાં પગ મૂક્યો. મનીષભાઈ અને સુધીરભાઈના નિર્ણયને કારણે અમે અહીં આવી શક્યા. હવે મનમાંથી સ્મશાનનો ડર ગાયબ થઈ ગયો છે.”

A3 Club અને શ્રમણ આગાઝ પરિવાર દ્વારા શાહબંધુઓનું સન્માન કરાયું
ચૂડી તોડવાની, ચાંદલો ભૂંસવાની પ્રથા તોડી નાખી

આ બંને ભાઈઓએ તેમની માતાની ચૂડી તોડવાનો અને ચાંલ્લો ભૂંસવાની પ્રથાને પણ તોડી નાખી છે. એ રીતે તેમના માતા કદાચ પહેલા એવા માજી બની ગયા છે, જેમના વિધવા થયા પછી પણ તેમની ચૂડી તોડાઈ નથી કે ચાંદલો પણ ભૂંસવામાં આવ્યો નથી. પિંડ ઉતારવાની કે ચૂડી તોડવાની વિધીઓ દલિત-બહુજન સમાજમાં વર્ષોથી ચાલી આવે છે. આવી રૂઢિઓ તોડવી રમત નથી. એમાં પરીવાર, કુટુંબ, ભાઈઓ, સબંધીઓના વિરોધનો પણ સામનો કરવો પડે. પણ અહીં સૌ કોઈએ વિના વિરોધે સાથ આપ્યો હતો. જેને લઈને પણ સૌને સુખદ આશ્ચર્ય થઈ રહ્યું છે.

પિતાના ક્રાંતિકારી વારસાને પુત્રોએ આગળ ધપાવ્યો

જો કે મનીષભાઈ અને સુધીરભાઈના પરિવાર માટે આ પ્રકારના ક્રાંતિકારી નિર્ણયો લેવા નવી વાત નથી. વર્ષો પહેલા તેમના પિતાએ ગામના મંદિરમાં ભૂવાની સ્થાપના કરવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને આખા પરિવારને મંદિર, ભૂવા, જાતરથી અલગ કરી દીધો હતો. આવા પિતાના પુત્રો જ તેમની માતાના હસ્તે પિતાને અગ્નિદાહ અપાવવાનું અને મહિલાઓને સ્મશાનમાં લઈ જવાનું સાહસ કરી શકે.

આ પણ વાંચો: ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું

બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય સાથે શાહ પરિવાર
બેસણાને બદલે મોહિન્દર મૌર્યનો બૌદ્ધ વિરાસતનો કાર્યક્રમ યોજ્યો

પિતાના અવસાન બાદ બંને ભાઈઓએ બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યનો બૌદ્ધ વિરાસતને ઉજાગર કરતો કાર્યક્રમ યોજી સમાજને જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં કલોલ શહેર અને તેની આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં જાગૃત બહુજનો ઉમટી પડ્યા હતા. મનિષભાઈ અને સુધીરભાઈ શાહના આ ક્રાંતિકારી કાર્યને ગાંધીનગરની A3 Club અને શ્રમણ આગાઝની ટીમે બિરદાવીને તેમનું સન્માન કર્યું હતું. છેલ્લે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. મનિષભાઈ શાહ અને સુધીરભાઈ શાહ પર આ ક્રાંતિકારી પહેલ બદલ ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(તમામ તસવીરોઃ જિતેન્દ્ર વાઘેલા, અમદાવાદ)

આ પણ વાંચો: ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?

4 6 votes
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
JESHINGBHAI VADHAR
JESHINGBHAI VADHAR
29 days ago

ભારતમાં સડી ગલી સંસ્કૃતિ અને ઘર કરી ગયેલા કુરિવાજોને ધોબી પછાડ આપવામાં દલિતોની પ્રગતિશીલ વિચારધારાનો બહુ મોટો ફાળો રહ્યો છે અને આ વિચારધારાને કારણે જ મોટાભાગના કવર્ણોને દલિતો આંખમાં ઘણાની જેમ ખૂંચે છે. પરંતુ આ કારવો હવે રોકાવાનો નથી.

Narsinhbhai
Narsinhbhai
29 days ago

*ભારત જેવા દેશમાં સંસ્કાર અને સંસ્કૃતિને ખતમ કરવાનું દુષ્કર્મ આચર્યું હોય તો તે બ્રાહ્મણોની “મનુસ્મૃતિ” છે!. જય સંવિધાન જય બુદ્ધ જય ભારત!.

Ritesh Gohil
Ritesh Gohil
29 days ago

आने वाले भविष्य का धर्म

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
3
0
Would love your thoughts, please comment.x
()
x