જાતિવાદ એક એવું ઝેર છે, જે એકવાર માણસના શરીરમાં પેસી જાય પછી તે સામેની વ્યક્તિ કોણ છે, કેવી સ્થિતિમાં છે, સ્ત્રી છે કે પુરૂષ, બાળક છે કે વૃદ્ધ – આ પૈકીનું કશું પણ જોતો નથી. તેને માત્ર તેની જાતિ દેખાય છે અને એ પછી તે તેની સાથે ભયાનકમાં ભયાનક કૃત્ય કરતા પણ અચકાતો નથી. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં એક બ્રાહ્મણ દુકાનદારે પાંચ ગરીબ દલિત બાળકોને ચોકલેટ ચોરીની આશંકાએ નગ્ન કરી, દોરડાથી બાંધી, મોં પર ચૂનો ચોપડી, ગળામાં ચંપલનો હાર પહેરાવી માર મારીને આખા ગામમાં ફેરવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં આસપાસ ઉભેલા સૌ કોઈ આ નિર્દોષ બાળકોને બચાવવા અને પોલીસને જાણ કરવાને બદલે આખી ઘટનાની મજા લઈ રહ્યાં છે.
આ પાંચેય બાળકોની ઉંમર 8 થી 12 વર્ષની વચ્ચેની હોવાનું કહેવાય છે. બધાં ગરીબ પરિવારમાંથી આવે છે. આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય લોકો અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીને 4 દિવસ સુધી બાંધી રાખી પેશાબ પીવડાવ્યો
આરોપી દુકાનદાર સહિત 3 લોકોની ધરપકડ
વીડિયો વાયરલ થયા બાદ મેજરગંજ પોલીસ સ્ટેશન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કેસની તપાસ શરૂ કરી છે. પોલીસે દુકાનદાર સહિત 3 લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ શરૂ કર્યા બાદ તેમની ધરપકડ કરી છે. ઉપરાંત, બાળકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. પોલીસ પુરાવા તરીકે વીડિયો ફૂટેજ એકત્રિત કરી રહી છે.
પોલીસે શું કહ્યું?
ડીએસપી રામકૃષ્ણએ જણાવ્યું હતું કે ‘ગુરુવારે બપોરે પોલીસને માહિતી મળી હતી કે એક સ્થાનિક દુકાનદારે તેની દુકાનમાંથી ચોકલેટ ચોરી કરવાની આશંકાએ પાંચ બાળકોને નગ્ન કરી, તેમના મોં પર ચૂનો ચોપડી, ગળામાં ચંપલનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા. આરોપીઓએ બાળકોને માર પણ માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.’
ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ડીએસપી રામકૃષ્ણએ જણાવ્યું હતું કે, પોલીસ અધિક્ષકે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં નામજોગ ત્રણ મુખ્ય આરોપીઓ, પ્રકાશ શર્મા, નાગેશ્વર શર્મા અને વિકાસ કુમારની ધરપકડ કરવામાં આવી છે. હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અન્ય મુદ્દાઓ પર તપાસ હજુ પણ ચાલી રહી છે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બાળ અધિકાર સંગઠનો અને આયોગની નારાજગી
બાળ અધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરોએ આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. બિહાર રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે જિલ્લા વહીવટીતંત્ર પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે. આયોગ કહે છે કે આવી ઘટનાઓ બાળકોના માનસિક વિકાસ અને ગૌરવ માટે ગંભીર ફટકો છે.
દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે – જિલ્લા મેજિસ્ટ્રેટ
સીતામઢીના ડીએમ રિચી પાંડેએ જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે જેથી આ ઘટના તેમના માનસિક સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર ન કરે. આ સાથે, તેમને કાનૂની અને માનસિક સહાય પણ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો: પોલીસે દલિત મહિલાઓને શેરીમાં દોડાવીને માર માર્યો
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘટના બિહારના સીતામઢી જિલ્લાના મલ્લાહી ગામની છે. જ્યાં એક દુકાનદાર પાંચેય બાળકોને નગ્ન કરી, તેમના ગળામાં ચંપલનો હાર પહેરાવી, મોં પર ચૂનો ચોપડીને ગામમાં ફેરવતો જણાય છે.
વાયરલ વીડિયોમાં શું છે?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી દુકાનદાર બાળકોને તેમના પિતાનું નામ પૂછી રહ્યો છે અને તેમના માથામાં હાથથી માર મારીને તેમને કેમેરા સામે જોવા કહે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, દુકાનદાર હાથમાં દંડો લઈને ઉભો છે અને આ બાળકો તરફ ઈશારો કરતા જણાવે છે કે, આ બધાં મારી દુકાનમાં ચોરી કરતા પકડાયા છે.
बच्चों संग दुर्व्यवहार पर #BiharPolice की सख्त कार्रवाई – 2 आरोपी गिरफ्तार, नियम तोड़ने वाले वीडियो बनाने वालों पर भी होगी कानूनी कार्रवाई।।इस घटना के संबंध में जानकारी देते हुए श्री राम कृष्णा अनुमंडल पुलिस पदाधिकारी सदर,सीतामढ़ी#Sitamarhi #ChildProtection #LawAndOrder pic.twitter.com/TUbCt4QJHE
— Home Department, GoB (@BiharHomeDept) June 6, 2025
લોકોમાંથી કોઈ બાળકોને બચાવવા ન આવ્યું
ત્યાં ઉભેલા લોકો આ પાંચેય બાળકોની મજાક ઉડાવે છે અને તેમને ચીડવે છે. એ દરમિયાન એક બાળકે કહ્યું કે, તેણે માત્ર એક ચોકલેટ લીધી હતી. એ પછી તેમને બજારમાં ફેરવવામાં આવે છે. પરંતુ કોઈએ પણ તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો. સીતામઢી પોલીસે કહ્યું છે કે, અમે વીડિયો બનાવનાર સામે પણ કાર્યવાહી કરીશું.
આ પણ વાંચો: દલિત યુવકને જાતિ નડી, સવર્ણ પત્નીએ ઝેર આપી હત્યા કરી
આજ લોકો ને પાછુ હિંદુ રાષ્ટ્ર બનાવવું છે… જે પોતાના સહધર્મી નાં છોકરાઓ સાથે આવું જઘન્ય વર્તન કરવામાં ભગવાન થી ડરતા નથી…..અને આવા અમાનવીય વર્તન ના કારણે કોઈ ધર્મ પરિવર્તન કરે તો પણ તેમને પેટ માં દુખે છે….. ત્યારે પાછા હોંશિયારી ઠોકે છે કે ધર્મ પરિવર્તન કરવું હોય તો પહેલા અનામત લેવાનું છોડી દો…….તે નાલાયકો ને ખ્યાલ નથી કે તેઓ એ આ SC,ST ને પોતાના સહ ધર્મી નથી માન્યા એટલે જ અનામત ની વ્યવસ્થા લાવવી પડી છે