Bodhi Gaya માં બૌદ્ધ ભિખ્ખુઓનું આંદોલન, અનેકની તબિયત લથડી

Bodhi Gaya નો વહીવટ બૌદ્ધ ધર્મીઓને સોંપવાને લઈને બૌદ્ધ ભિખ્ખુઓ દ્વારા 9 દિવસથી ભૂખ હડતાળ ચાલી રહી છે. જેમાં અનેક ભિખ્ખુઓની તબિયત લથડી છે.
Bodhigaya Strike (2)

તથાગત ગૌતમ બુદ્ધ (Tathagata Gautam Buddha) ને જે સ્થળેથી ગ્યાનની પ્રાપ્તિ થઈ હતી તે બોધિગયા (Bodhigaya) માં છેલ્લાં 9 દિવસથી બૌદ્ધધર્મીઓનું આંદોલન (movement of Buddhists) ચાલી રહ્યું છે. બિહાર (Bihar) ના ગયા જિલ્લામાં આવેલા મહાબોધિ મહાવિહાર (Mahabodhi Mahavihar) નો કબ્જો બૌદ્ધોને સોંપવાને લઈને છેલ્લાં 70 વર્ષથી માંગ થઈ રહી છે પણ સરકાર તેમ કરવા તૈયાર નથી. આ જગ્યા બિહાર સરકાર હસ્તક છે જેમણે 1949 BT એક્ટ પસાર કરીને તેના પર કબજો કરેલ છે. આ એક્ટ અંતર્ગત આ જગ્યાનું સંચાલન કરવા માટે કુલ 9 સભ્યો ની કમિટી માં રચના કરવામાં આવેલ છે. જેમાં 4 સભ્યો હિન્દુ, 4 સભ્યો બૌદ્ધ અને એક ગયાના જિલ્લા કલેકટર છે. આ વ્યવસ્થાને કારણે મોટાભાગે સરકારનો જ તેના પર કબ્જો રહેતો હોવાથી બૌદ્ધ ધર્મીઓને અન્યાય થઈ રહ્યો હોવાની રાવ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં દેશની પહેલી અનુસૂચિત જાતિ સમાજની બેંક શરૂ થઈ

Bodhigaya Strike (1)

છેલ્લા 70 વર્ષથી બોધિ ગયા((Bodhigaya))નું સંચાલન માત્ર ને માત્ર બૌદ્ધોને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ કેન્દ્રમાં તેમજ રાજ્યમાં કેટલીય સરકાર આવી અને ગઈ પરંતુ તેનો નિકાલ કરવામાં આવેલ નથી. જેના કારણે હવે બૌદ્ધ સમાજે બીટી એક્ટને રદ કરીને બોધિ ગયાનું તમામ સંચાલન બૌદ્ધોને સોંપી દેવામાં આવે તેવી માંગ સાથે તા. 12 ફેબ્રુઆરી 2025 થી ભૂખ હડતાળ શરૂ કરી છે.

બોધિ ગયા((Bodhigaya))માં સેંકડો બૌદ્ધ ભીખ્ખુઓ ભૂખ હડતાળ કરી રહ્યા છે જેને આજે 9 દિવસ પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં અનેક ભિક્ખુઓની તબિયત ખરાબ થઈ ચૂકી છે તેમ છતાં તેઓ આંદોલન ચાલું રાખી રહ્યાં છે. આ આંદોલનનો હિસ્સો બની અન્યાય સામે લડત માટે દેશભરના મૂળનિવાસી બૌદ્ધ ધર્મીઓને આહ્વાન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છેBodhigaya Strike (3)

બોધિ ગયાના આ આંદોલનને લઈને અમદાવાદ સ્થિત કેટલીક બૌદ્ધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા શહેરના સરદાર બાગથી જિલ્લા કલેક્ટર કચેરી ધરણા પ્રદર્શન કરીને બાઈક રેલી યોજી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બોધિ ગયાને મુક્ત કરવા માટે વિનંતી કરાઈ છે.

અમદાવાદ સ્થિત બૌદ્ધ સંગઠનો દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ નોટમાં બૌદ્ધ સમાજને આ આંદોલનમાં જોડાવા માટે આહ્વાન કરાયું છે. પ્રેસ નોટમાં કહેવાયું છે કે જો, દેશના દરેક ધર્મના કોઈપણ ધાર્મિક સ્થળનું સંચાલન તેમના સમાજ દ્વારા કરવામાં આવતું હોય તો બૌદ્ધોને બોધિગયાનું સંચાલન કેમ ગેરબૌદ્ધોના હાથમાં છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, આ આંદોલન વિશે મુખ્યધારાના મીડિયામાં ભાગ્યે જ કોઈ નોંધ લેવાઈ છે.

આ પણ વાંચોઃ કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x