તથાગત ગૌતમ બુદ્ધને જે સ્થળેથી ગ્યાનની પ્રાપ્તિ થઈ હતી તે બોધિ ગયા (Bodhi Gaya) પર સરકારે કબ્જો જમાવી લીધો છે, જેની સામે બૌદ્ધ ભિખ્ખુઓએ આંદોલન (Mahabodhi liberation movement) છેડી દીધું છે. છેલ્લાં 10 દિવસથી અહીં બૌદ્ધધર્મીઓનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં દેશભરમાંથી વધુને વધુ બૌદ્ધો જોડાઈ રહ્યાં છે. ત્યારે હવે ભીમ આર્મી (Bhim Army) ચીફ અને આઝાદ સમાજ પાર્ટી (Azad Samaj Party (Kanshiram))ના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad) પણ મહાબોધિ મુક્તિ આંદોલન (Mahabodhi Mukti Andolan-Mahabodhi liberation movement) માં જોડાવાની જાહેરાત કરી છે. ભીમ આર્મી અને નગીનાના સાંસદના આ આંદોલનમાં જોડાવાથી આખો મામલો રાતોરાત હાઈ પ્રોફાઈલ બની ગયો છે.
મહાબોધિની લડાઈ બહુજનોના સ્વાભિમાન-સાંસ્કૃતિક પુનરુત્થાનની લડાઈ
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિસ્તારથી પોસ્ટ લખીને આ મામલે વિસ્તારથી માહિતી આપી છે. ચંદ્રશેખરે એક્સ પર લખ્યું હતું કે, “મહાબોધિ મહાવિહાર માત્ર એક ઐતિહાસિક વારસો જ નથી, પરંતુ બૌદ્ધ સમાજની આસ્થા, અસ્મિતા અને અધિકારોનું પ્રતીક પણ છે. ભગવાન બુદ્ધની જ્ઞાન સ્થળી હજુ પણ બિન-બૌદ્ધોના હસ્તક્ષેપ હેઠળ જકડાયેલું છે, આ એક ગંભીર અન્યાય છે. બૌદ્ધ ભિક્ષુઓ-ભિક્ષુણિઓનો મહાબોધિ મહાવિહાર પર કુદરતી અને ઐતિહાસિક અધિકાર છે, જે છીનવી ન શકાય.”
महाबोधि महाविहार केवल एक ऐतिहासिक धरोहर नहीं, बल्कि बौद्ध समाज की आस्था, अस्मिता और अधिकार का प्रतीक है। यह घोर अन्याय है कि भगवान बुद्ध की ज्ञान स्थली आज भी गैर-बौद्धों के हस्तक्षेप में जकड़ी हुई है। महाबोधि महाविहार पर बौद्ध भिक्षु-भिक्षुणियों का प्राकृतिक और ऐतिहासिक अधिकार… pic.twitter.com/YbwtNMGm7l
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) February 19, 2025
ભીમ આર્મી ચીફે પોતે પણ આ આંદોલનમાં જોડાશે તેમ જાહેર કરતા લખ્યું હતું કે, “હું આમરણાંત ઉપવાસ પર બેઠેલા ભિક્ષુઓ-ભિક્ષુણિઓના દૃઢ નિશ્ચય અને હિંમતને નમન કરું છું. આ ફક્ત ભૂખ હડતાળ નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલી રહેલા અન્યાય સામે બૌદ્ધ સમાજનો ક્રાંતિકારી પ્રતિકાર છે. આ લડાઈ ફક્ત મહાબોધિ મહાવિહારની મુક્તિ માટે જ નથી, પરંતુ બહુજન સમાજના સ્વાભિમાન અને સાંસ્કૃતિક પુનરુત્થાન માટે પણ છે.”
મહાબોધિ બૌદ્ધોની છે, હક માટે ગમે તે હદે જઈશું
ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે, ૧૯૪૯નો બીટી એક્ટ આ અન્યાયનો આધાર છે, જેને તાત્કાલિક રદ કરવો જોઈએ. આ કાયદો બૌદ્ધોને તેમના પોતાના પવિત્ર સ્થળો પરના અધિકારોથી વંચિત રાખે છે અને બિન-બૌદ્ધોને સંચાલન જાળવી રાખવાની મંજૂરી આપે છે. આ સંપૂર્ણપણે અન્યાયી અને ગેરબંધારણીય છે. સમગ્ર બહુજન સમાજ વતી, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે મહાબોધિ મહાવિહાર તાત્કાલિક બૌદ્ધ સાધુઓને સોંપી દો. આનાથી બૌદ્ધ સમુદાયના ધાર્મિક અધિકારોનું રક્ષણ તો થશે જ, સાથે સાથે ઐતિહાસિક ન્યાય પણ સ્થાપિત થશે. જો આ અન્યાયનો ટૂંક સમયમાં અંત નહીં આવે તો સમગ્ર બહુજન સમાજ રસ્તા પર ઉતરી આવશે અને નિર્ણાયક સંઘર્ષ શરૂ કરશે. અમે અમારા અધિકારોના રક્ષણ માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છીએ. મહાબોધિ બૌદ્ધોની છે અને તે ફક્ત બૌદ્ધોને જ મળવી જોઈએ! હું પોતે પણ ટૂંક સમયમાં આ ચળવળમાં જોડાઈશ!
મામલો શું છે?
બિહારના ગયા જિલ્લામાં આવેલા મહાબોધિ મહાવિહાર (Mahabodhi Mahavihar)નો કબ્જો બૌદ્ધોને સોંપવાને લઈને છેલ્લાં 70 વર્ષથી માંગ થઈ રહી છે પણ સરકાર તેમ કરવા તૈયાર નથી. આ જગ્યા બિહાર સરકાર હસ્તક છે જેમણે 1949 BT એક્ટ પસાર કરીને તેના પર કબજો કરેલ છે. આ એક્ટ અંતર્ગત આ જગ્યાનું સંચાલન કરવા માટે કુલ 9 સભ્યો ની કમિટી માં રચના કરવામાં આવેલ છે. જેમાં 4 સભ્યો હિન્દુ, 4 સભ્યો બૌદ્ધ અને એક ગયાના જિલ્લા કલેકટર છે. આ વ્યવસ્થાને કારણે મોટાભાગે સરકારનો જ તેના પર કબ્જો રહેતો હોવાથી બૌદ્ધ ધર્મીઓને અન્યાય થઈ રહ્યો હોવાની રાવ ઉઠી રહી છે.
10 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે
છેલ્લા 70 વર્ષથી બોધિ ગયાનું સંચાલન માત્ર ને માત્ર બૌદ્ધોને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ કેન્દ્રમાં તેમજ રાજ્યમાં કેટલીય સરકાર આવી અને ગઈ પરંતુ તેનો નિકાલ કરવામાં આવેલ નથી.
જેના કારણે હવે બૌદ્ધ સમાજે બીટી એક્ટને રદ કરીને બોધિ ગયાનું તમામ સંચાલન બૌદ્ધોને સોંપી દેવામાં આવે તેવી માંગ સાથે તા. 12 ફેબ્રુઆરી 2025 થી ભૂખ હડતાળ શરૂ કરી છે.
અનેક બૌદ્ધ ભિખ્ખુઓની તબિયત લથડી
બોધિ ગયામાં સેંકડો બૌદ્ધ ભીખ્ખુઓ ભૂખ હડતાળ કરી રહ્યા છે જેને આજે 10 દિવસ પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં અનેક ભિક્ખુઓની તબિયત ખરાબ થઈ ચૂકી છે તેમ છતાં તેઓ આંદોલન ચાલું રાખી રહ્યાં છે. આ આંદોલનનો હિસ્સો બની અન્યાય સામે લડત માટે દેશભરના મૂળનિવાસી બૌદ્ધ ધર્મીઓને આહ્વાન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Bodhi Gaya માં બૌદ્ધ ભિખ્ખુઓનું આંદોલન, અનેકની તબિયત લથડી
*દેશનાં રાષ્ટ્રપિતાને અમૂલ્ય જીવન પાછું હેમખેમ આપનાર બોધિસત્વ મહામાનવ પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર જી ને મારાં હાર્દિક નતમસ્તકે શત્ શત્ નમન કરું છું. જો, બિહારમાં આવું અદ્ભુત ખુશનુમા વાતાવરણ સર્જાય એવી તથાગત ભગવાન બુદ્ધને અંત: કરણથી પ્રાર્થના.