ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવશે?

જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
koli thakor community to form its own political party in gujarat

Koli Thakor community to form its own political party in Gujarat: ગુજરાત(Gujarat)માં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા ગ્રામ પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાશે. પરંતુ એ પહેલા રાજ્યમાં વધુ એક રાજકીય મોરચો ખુલે તેવા નિર્દેશો મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રનો કોળી સમાજ આગામી દોઢેક માસમાં જ મોટો ધડાકો કરે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના જસદણમાં થોડા દિવસ પહેલા સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન સરખેજ ભારતી આશ્રમના પૂર્વ સંચાલક ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ ટેક્સ ભરનારો સમાજ કોળી સમાજ(Koli community) છે. એ વખતે તેમણે વાત વાતમાં એવું પણ કહ્યું હતું કે કોળી સમાજનો એક રાજકીય પક્ષ(own political party) હોવો જોઈએ જેથી અન્યાય સામે લડવમાં અને એ પક્ષ થકી ગુજરાતમાં કોળી સમાજનું વર્ચસ્વ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવે. તેમના નિવેદન બાદ કોળી સમાજના આગેવાનો આ અંગે સહમત થયા હતા અને અલગ અલગ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓ આ પક્ષ સાથે જોડાશે તેવી અટકળો વહેતી થઇ છે.

આ પણ વાંચોઃ પટેલ સીએમે પટેલોના કેસો પાછા ખેંચ્યા, દલિતો-ઠાકોરોના ક્યારે?

હવે કોળી સમાજ આગામી સમયમાં ગુજરાતમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી રાજકારણમાં ઝંપલાવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષના નામની જાહેરાત પણ ગુજરાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર કરશે.

આ પણ વાંચોઃ OBC યુવકે પૂજારીની પરીક્ષા ટોપ કરતા બ્રાહ્મણોએ વિરોધ કર્યો

આગામી દોઢ મહિનાની અંદર જ કોળી સમાજ અને ઠાકોર સમાજનું એક પોતાની પાર્ટીનું નામ જાહેર થવા જઈ રહ્યું છે જેને લઈને જયેશ ઠાકોરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને પોતાની વાત મૂકી હતી.

કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આગામી દોઢ મહિનામાં કોળી અને ઠાકોર સમાજની એક રાજકીય પાર્ટીની શરૂઆત થશે. આ પહેલા સમાજના આગેવાનોને પહેલ કરતા કહ્યું કે તાલુકા અને જિલ્લાના તમામ કમિટી મેમ્બરો દ્વારા કોળી અને ઠાકોર સમાજના જે જે લોકો સમાજના સંગઠન સાથે નથી જોડાઈ શક્યા તેમને એક કરવા માટે વિનંતી છે. તમામ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 1 મહિનાની અંદર કોળી અને ઠાકોર સમાજની કમિટી નક્કી કરશે કે સમાજની રાજકીય પાર્ટીનું નામ શું રાખવું. એ પછીના એકાદ મહિનામાં જ પાર્ટીનું નામ અને કામગીરી જાહેર કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ Telangana caste survey : 46.25 ટકા OBC છતાં રાજકારણમાં સવર્ણોનું વર્ચસ્વ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x