મધ્યપ્રદેશના છત્તરપુરમાં સસ્તા અનાજની દુકાને રાશન લેવા ગયેલા એક 19 વર્ષના દલિત યુવકની RSS-BJP સાથે જોડાયેલા દુકાનદારે ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યાની આ ઘટનાએ માત્ર મધ્યપ્રદેશ જ નહીં, પરંતુ દિલ્હી સુધી ભારે હોબાળો મચાવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, 9 જૂન 2025ને રવિવારના રોજ, સવારે 10 વાગ્યે મધ્યપ્રદેશના છતરપુરના નૌગાંવમાં સસ્તા અનાજની દુકાનમાં રાશનનું વિતરણ થઈ રહ્યું હતું. એ દરમિયાન દુકાનદાર અને ગ્રામજનો કોઈ કારણસર ઝઘડો થયો હતો. ઝઘડા પછી અચાનક ગુસ્સે ભરાયેલા ટોળાએ દુકાનદારના ઘરમાં ઘૂસીને માર મારવાનું અને તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આરોપ છે કે, તોડફોડ બાદ ઝઘડો એટલો વધી ગયો હતો કે દુકાનદાર પ્રવીણ પટેરિયા પોતાની લાયસન્સવાળી પિસ્તોલ લઈને બહાર આવ્યો હતો અને ગોળીબાર કરી દીધો હતો. જેમાં 19 વર્ષનો નિર્દોષ દલિત યુવાન પંકજ પ્રજાપતિ ઘાયલ થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે છત્તરપુર હોસ્પિટલ લઈ જવાયો. ત્યાંથી ડોક્ટરોએ તેને ગ્વાલિયર રિફર કર્યો, પણ તેનું રસ્તામાં જ મોત થઈ ગયું.
મૃતક યુવકના પિતાએ અગ્નિસ્નાન કરવાનો પ્રયાસ કર્યો
દલિત યુવકના મૃત્યુ પછી ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો. મૃતકના પિતાને એટલું બધું લાગી આવ્યું કે તેમણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થળ પર હાજર પોલીસે જેમતેમ કરીને તેમને બચાવી લીધા હતા. એ પછી મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામલોકોએ અંદાજે 5 કલાક સુધી મુખ્ય માર્ગ બ્લોક કરી દીધો હતો.
રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સરકારને આકરા સવાલો કર્યા હતા. મધ્યપ્રદેશ સરકાર પર આરોપ લગાવતા તેમણે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી. તેમણે લખ્યું કે “મધ્યપ્રદેશમાં 19 વર્ષીય પંકજની ગોળી મારીને હત્યા કરવામાં આવી, કારણ કે તે દલિત થઈને પોતાના હકનો હિસ્સો માંગતો હતો. FIR નોંધવામાં આવી ન હતી, પોસ્ટમોર્ટમ મુલતવી રાખવામાં આવ્યું હતું. કારણ કે ગુનેગાર સત્તાના ખોળામાં બેઠો છે અને સત્તા મનુવાદી અને બહુજન વિરોધી ભાજપની છે.
મોદી સરકારના 11 વર્ષ દલિતો, આદિવાસીઓ, પછાત અને લઘુમતીઓ માટે અપમાન, હિંસા અને ભેદભાવથી ભરેલા રહ્યા છે. તેમને સંસ્થાગત રીતે સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવવા અને મુખ્યધારાથી દૂર રાખવાનું કાવતરું ચાલું છે. ગુનેગારોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. હું પંકજ પ્રજાપતિના પરિવાર અને દેશના દરેક બહુજન સાથે ઉભો છું. આ સન્માન, ન્યાય અને સમાનતા માટેની લડાઈ છે અને આપણે આ લડાઈ કોઈપણ કિંમતે જીતીશું.”
આ પણ વાંચો: બ્રાહ્મણ દુકાનદારે 5 દલિત બાળકોને નગ્ન કરી ગામમાં ફેરવ્યા?
આ લોકો સામે કેસ નોંધાયો
આ મામલે પોલીસે પ્રવીણ ઉર્ફે કટ્ટુ પટેરિયા, નવીન પટેરિયા અને દુકાનદાર રામસેવક અરજારિયા સામે અનેક કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. સીએસપી અમન મિશ્રાએ જણાવ્યું હતું કે સમજાવટ દ્વારા પ્રદર્શનકારીઓને શાંત કરવામાં આવ્યા છે. ત્રણ આરોપીઓ સામે નામજોગ એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે.
હત્યામાં ભાજપ-આરએસએસના નેતાનું નામ
આ ઘટનાને લઈને મધ્ય પ્રદેશ કોંગ્રેસે ટ્વિટર પર પોસ્ટ કરીને રાજ્યની ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે જ્યારે દિલ્હીમાં મોદી સરકારના 11 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે છતરપુરની ધરતી એક દલિત યુવાનના લોહીથી લાલ થઈ ગઈ છે.
मध्यप्रदेश में 19 साल के पंकज प्रजापति को सिर्फ़ इसलिए सरेआम गोली मार दी गई – क्योंकि उसने दलित होकर अपने हिस्से का हक़ मांगा।
FIR दर्ज नहीं की गई, पोस्टमार्टम टाल दिया गया – क्योंकि गुनहगार नेता सत्ता की गोद में बैठा है और सत्ता मनुवादी और बहुजन विरोधी BJP की है।
मोदी सरकार के… https://t.co/8rlTvCnMIV
— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2025
મધ્યપ્રદેશ કોંગ્રેસના જણાવ્યા અનુસાર, છત્તરપુરના નૌગાંવમાં દલિત યુવક પંકજ પ્રજાપતિને માત્ર એટલા માટે ગોળી મારી દેવામાં આવી કારણ કે તેણે તેના હકનું રાશન માંગવાની હિંમત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ જઘન્ય હત્યા પાછળ ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા પ્રવીણ પટેરિયાનું નામ બહાર આવી રહ્યું છે, એટલે ભાજપ અને તેના નેતાઓ આખા કેસમાં મૌન ધારણ કરીને બેસી ગયા છે.
આ પણ વાંચો: 14 વર્ષની દલિત દીકરી 13 યુવકોએ રેપ કરતા ગર્ભવતી બની