બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું

કથાકારને બ્રાહ્મણોએ પહેલા તેમની જાતિ પૂછી. OBC હોવાનો ખ્યાલ આવતા હુમલો કર્યો. માથું મુંડી, મોં પર બ્રાહ્મણોનું મૂત્ર છાંટી માફી મગાવી.
dalit news

સવાયા હિંદુ થઈને ફરતા OBC સમાજની આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે. OBC સમાજની બે શખ્સો ગામેગામ ફરીને કથા કરતા હતા. જો કે, બ્રાહ્મણોના ગામમાં કથા કરવી તેમને ભારી પડી ગઈ. કથાકાર OBC છે તે બ્રાહ્મણોના ધ્યાનમાં આવતા, તેમણે પોતાના ધંધા પર લાત મારતા બંને કથાકારોની ધોલાઈ કરી હતી. આરોપી બ્રાહ્મણોએ કથાકારોને તેમની જાતિ પૂછી તેમના પર હુમલો કરી દીધો, તેમનું માથું મૂંડી નાખ્યું, હાર્મોનિયમ તોડી નાખ્યું અને મોં પર બ્રાહ્મણોનું મૂત્ર છાંટી જાહેરમાં અપમાન કર્યું. એટલું જ નહીં, બંને કથાકારોને કથાની યજમાન મહિલાના પગ પર નાક રગડવા મજબૂર કરાયા.

ઘટનાની જાણ થતા હોબાળો મચી ગયો હતો. હવે પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. બીજી તરફ, આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના સાંસદે પોલીસ સ્ટેશને પહોંચી જઈને, જો બે દિવસમાં યોગ્ય કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

યુપીના ઈટાવાના દાદરપુર ગામની ઘટના

મામલો ઉત્તરપ્રદેશના ઈટાવાના દાદરપુર ગામનો છે. જ્યાં બે યાદવ કથાકારને બ્રાહ્મણોએ ઢોર માર માર્યો હતો. આ ઘટના 21 જૂનની છે અને ઘટનાના બે વીડિયો પણ સામે આવ્યા છે. આમાંથી એક વીડિયો 1 મિનિટ 1 સેકન્ડનો છે, જ્યારે બીજો 32 સેકન્ડનો છે. વીડિયોમાં કેટલાક બ્રાહ્મણ યુવકો યાદવ કથાકાર સાથે ગુંડાગીરી કરતા જોવા મળે છે. વીડિયોમાં કથાકાર અને તેમના સાથીનું કેટલાક લોકો માથું મુંડતા દેખાય છે. આ વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો તેના પર આકરી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ મામલો જાતિવાદ સાથે સંકળાયેલો હોવાથી લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે 4 આરોપીઓની પણ ધરપકડ કરી છે.

મામલો શું હતો?

કથાકાર મુકુટમણિ સિંહ યાદવ ઇટાવાના સિવિલ લાઇન વિસ્તારના જવાહરપુરા રાજાના બાગમાં રહે છે. તે મૂળ કાનપુરના છે. તેનો સાથી સંત સિંહ યાદવ ઔરૈયાના અચલદાનો છે. જ્યારે ત્રીજો સાથી શ્યામ કથેરિયા ઇટાવાના બકેવારનો છે. મુકુટ મણિ સિંહે જણાવ્યું હતું કે તે, ભાગવત કથા કરે છે. તેને 21 જૂનથી 27 જૂન દરમિયાન દાદરપુર ગામમાં કથા માટેનું આમંત્રણ મળ્યું હતું. આમંત્રણ ગામના પાઠક બાબાના માધ્યમથી પપ્પુ બાબા નામના શખ્સે કરાવ્યું હતું.

આ પણ વાંચો:  ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી

“બ્રાહ્મણોના ગામમાં કથા કરવાની હિંમત કેમ કરી?”

યાદવ કથાકારનો આરોપ છે કે કથાના પહેલા દિવસે સાંજે જમતી વખતે, યજમાન પપ્પુ બાબાએ મને મારી જાતિ વિશે પૂછ્યું. મેં તેમને કહ્યું કે હું યાદવ સમાજનો છું. આથી તે ગુસ્સે ભરાયો અને મારા પર દલિત હોવાનો આરોપ લગાવ્યો. એ પછી ઘણા યુવાનોએ અમને ઘેરી લીધાં. પપ્પુ બાબા કહેવા લાગ્યો કે, “બ્રાહ્મણોના ગામમાં ભાગવત પાઠ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? આરોપીઓએ મને કારમાંથી ખેંચીને બહાર કાઢી મારવા લાગ્યા.

અપશબ્દો કહ્યા, લાતો મારી, નાક રગડવા મજબૂર કર્યા

મળતી માહિતી મુજબ, બ્રાહ્મણોએ ત્રણેય કથાકારોને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું. તેમણે કથાકાર મુકુટ મણિ સિંહ યાદવની આંખોના નેણ કાપી નાખ્યા અને માથું મૂંડી નાખ્યું. એવો આરોપ છે કે પપ્પુ બાબા સાથે, અતુલ, ડીલર, મનીષ અને લગભગ 50 અજાણ્યા લોકોએ તેમને લાત-મુક્કા જૂતા અને ચંપલથી માર માર્યો હતો. ગામના ટોળા સામે તેમના માથાનું મુંડન કરાવ્યું. એ પછી, કથાની યજમાન મહિલાના પગ પર નાક રગડાવ્યું હતું. આરોપીઓએ કથાકારના સહાયકને પણ માર માર્યો અને તેનું પણ માથું મુંડી નાખ્યું. હુમલાખોરોએ કથાકારની આજીવિકા જેવું હાર્મોનિયમ પણ તોડી નાખ્યું હતું.

કથાકારની સોનાની ચેન અને 25 હજાર પણ લૂંટી લીધાં

યાદવ કથાકારનો આરોપ છે કે આરોપી બ્રાહ્મણ યુવકોએ તેમના રૂ. 25 હજાર અને સોનાની ચેન પણ લૂંટી લીધી હતી અને પછી અપમાનિત કરીને ગામમાંથી કાઢી મૂક્યા હતા. તેમનો બધો સામાન હજુ પણ આરોપીઓના કબજામાં છે. યાદવ કથાકાર મુકુટમણિ સિંહે પોલીસને અતુલ, મનીષ, પપ્પુ બાબા અને વેપારી વગેરેના નામ જણાવ્યા છે. તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નામજોગર અરજી આપવામાં આવી છે. પીડિતોએ આ બાબતે ઇટાવાના એસએસપીને જાણ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

dalit news

સમાજવાદી પાર્ટીના સાંસદે પોલીસ સ્ટેશન પહોંચ્યાં

મામલો બે જાતિઓ વચ્ચેનો હોવાથી આ ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે. ઇટાવાના સપા સાંસદ જીતેન્દ્ર દોહરે કાર્યકરો સાથે એસએસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવને મળવા પહોંચ્યા હતા. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સપા સાંસદ જિતેન્દ્ર દોહરેએ કહ્યું કે ભાગવતચાર્ય અને તેમના સાથીઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું તે અમાનવીય છે. તે બંધારણની પણ વિરુદ્ધ છે. સાંસદે કહ્યું કે, ઇટાવાને એએસપીને મળીને મળ્યા છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો સપા આ મુદ્દો સંસદમાં ઉઠાવશે.

ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: પોલીસે

એસએસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને બકેવાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને તાત્કાલિક આરોપીઓ સામે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં. હાલ આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

dalit news

આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

આ ઘટનામાં પોલીસે દાદરપુર ગામના આશિષ તિવારી (21), ઉત્તમ અવસ્થી (19), પ્રથમ દુબે ઉર્ફે મનુ દુબે (24) અને નિક્કી અવસ્થી (30)ની ધરપકડ કરી છે. નિક્કી અવસ્થી મુખ્ય આરોપી છે. તેણે જ મુકુટમણિ યાદવની ચોટલી કાપી હતી. પોલીસ તેને જેલમાં ધકેલી દેવાની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: પ્લેન ક્રેશ દુર્ઘટનાને મનુમીડિયાએ અંધશ્રદ્ધા ફેલાવવાનું સાધન બનાવી

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
4 hours ago

*કથાકાર મુકુટસિંહ યાદવએ “ભાગવત કથા” ને બદલે ભારતનાં સંવિધાનને તેનાં પરિવારોમાં વાંચવાની શરૂઆત
કરવી જોઈએ, જેથી તેનો પછાત ઓબીસી સમાજ જાગૃત થાય…! SC ST OBC સમગ્ર સમાજનાં લોકોએ
“જાતિવાદી બ્રાહ્મણો” નો બહિષ્કાર કરવાનો દ્રઢ સંકલ્પ લેવો જોઈએ, હવે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી…! જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન!

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x