જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીમાં વધુ એક દલિતની હત્યા થઈ છે. અહીંના સહારનપુરના તીતરોં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વારસી ગામમાં એક 22 વર્ષના દલિત યુવકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. યુવકનું નામ અંકુશ હોવાનું સામે આવ્યું છે. તે ખેતરમાં ઘાસ લેવા ગયો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા હુમલાખોરે તેને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા જ અંકુશનું ઘટનાસ્થળે જ મોત થયું.
હત્યાનો કેસ નોંધાયો
ઘટનાની માહિતી મળતા જ તીતરોં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવ્યા છે અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારની ફરિયાદના આધારે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ
પોલીસની ત્રણ ટીમોએ તપાસ શરૂ કરી
ઘટનાની તપાસ ત્રણ ટીમો કરી રહી છે. એસપી ગ્રામીણ સાગર જૈને જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોને શક્ય તેટલી વહેલી તકે ઘટનાનો ખુલાસો કરવા અને આરોપીઓની ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં આ કેસ જૂની દુશ્મનાવટ સાથે સંબંધિત હોઈ શકે છે. પરંતુ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

➡️दिनांक 30.07.2025 को थाना तीतरों क्षेत्रान्तर्गत ग्राम बरसी में एक व्यक्ति की गोली मारकर हत्या के सम्बन्ध में परिजनों की नामजद तहरीर पर अभियोग पंजीकृत किया गया है, अभियुक्तों की गिरफ्तारी हेतु टीमों का गठन किया गया है।
➡️#SSP_SRR की #बाईट। pic.twitter.com/6fLs3L5L5Z
— Saharanpur Police (@saharanpurpol) July 30, 2025
સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ શરૂ
પોલીસ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે અને ગ્રામજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તરફ અંકુશની હત્યાના સમાચાર મળતા જ ગામમાં હોબાળો મચી ગયો છે. તેના પરિવારજનો રોઈ રોઈને બેહાલ થઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે અને ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત રિક્ષાચાલક પર ભજન વગાડવા મુદ્દે હુમલો, 25 સામે કેસ










