ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જનસભા બાદ મંચનું ‘શુદ્ધિકરણ’ કરવામાં આવતા મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જે મંચ પરથી ખડગેએ લોકોને સંબોધિત કર્યા હતા, તેનું બાદમાં કેટલાક લોકોએ ‘શુદ્ધિકરણ’ કરાવ્યું. પાર્ટીનો દાવો છે કે આ કામ ભાજપ સાથે જોડાયેલા લોકોએ કર્યું છે અને આ દલિત સમાજનું અપમાન છે. આ દરમિયાન, ભાજપે આ જૂથ સાથે કોઈપણ પ્રકારના સંબંધ હોવાનો ઇનકાર કર્યો અને કોંગ્રેસ પર રાજકીય ફાયદા માટે પાર્ટીની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ, મંચ પર શુદ્ધિકરણ કરનાર હિન્દુવાદી સંગઠનનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિનો નહીં, પરંતુ રામલીલા મંચની ‘પવિત્રતા’ જાળવી રાખવાનો હતો.
8 ઓગસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હલ્દવાનીના રામલીલા મેદાનમાં એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમ 2027 માં યોજાનારી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. તેના થોડા દિવસો બાદ 11 ઓગસ્ટે કથિત રીતે શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસ નામના એક સંગઠને તે જ મંચ પર વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ કરીને ‘શુદ્ધિકરણ’ કાર્યક્રમ આયોજિત કર્યો. સંગઠનના સભ્યોનું કહેવું હતું કે રામલીલા મેદાન એક ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળ છે. તેમનો આરોપ હતો કે અહીં રાજકીય કાર્યક્રમ દરમિયાન એવા નારા લગાવવામાં આવ્યા, જે આ મંચની ગરિમાને અનુરૂપ નહોતા. તેથી મંચનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું.

કોંગ્રેસનો ભાજપ પર આરોપ
આ ઘટના બાદ કોંગ્રેસે ભાજપ પર મોટો પ્રહાર કર્યો. કોંગ્રેસનું કહેવું છે કે મલ્લિકાર્જુન ખડગે દલિત સમાજમાંથી આવે છે અને તેમના ભાષણ આપ્યા બાદ મંચનું શુદ્ધિકરણ કરાવવું એ સામાજિક ભેદભાવ અને સંકુચિત માનસિકતા દર્શાવે છે. પાર્ટીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે ભાજપને દલિત અને પછાત વર્ગના વોટ તો જોઈએ છે પરંતુ તેમનું સન્માન સ્વીકાર્ય નથી. કોંગ્રેસે આને સામાજિક સમાનતા અને લોકતાંત્રિક મૂલ્યોનું અપમાન ગણાવ્યું.
આ પણ વાંચોઃ RSS ને આતંકીવાદી સંગઠન જાહેર કરવા પૂર્વ પ્રચારકે માંગ કરી!
भाजपा को दलित-पिछड़ों का वोट चाहिए, लेकिन उनका सम्मान और सामाजिक स्वीकार्यता बर्दाश्त नहीं!
हल्द्वानी में कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी के कार्यक्रम स्थल का कथित ‘शुद्धिकरण’ बेहद निंदनीय है। खड़गे जी दलित समाज से आते हैं, उनके कार्यक्रम स्थल का… pic.twitter.com/ZiQvBEdC3K— Uttarakhand Congress (@INCUttarakhand) August 12, 2026
ગણેશ ગોદિયાલે કરી કાર્યવાહીની માંગ
ઉત્તરાખંડ કોંગ્રેસ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આ આધુનિક ભારતમાં અસ્પૃશ્યતા જેવી માનસિકતાને પ્રોત્સાહન આપનારી ઘટના છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ માનવતા, સમાનતા અને ભાઈચારામાં વિશ્વાસ રાખે છે, જ્યારે આ પ્રકારની ઘટનાઓ સમાજમાં વિભાજન ઊભું કરે છે.
ગોદિયાલે નૈનીતાલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પાસે મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવા અને જો કાયદાનું ઉલ્લંઘન થયું હોય તો દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

हल्द्वानी में कांग्रेस की रैली में माननीय राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी ने जिस मंच से जनता को संबोधित किया, उसी मंच का भाजपा से जुड़े लोगों द्वारा ‘शुद्धिकरण’ किया जाना बेहद आहत करने वाला और निंदनीय है। यह घटना जातिगत भेदभाव और संकीर्ण मानसिकता को दर्शाती है।… pic.twitter.com/gVNXOSYFN9
— Uttarakhand Congress (@INCUttarakhand) August 12, 2026
કોંગ્રેસે ભાજપની વિચારસરણી પર ઉઠાવ્યા સવાલ
ગણેશ ગોદિયાલે કહ્યું કે જો કોઈ દલિત નેતાના મંચ પર આવ્યા બાદ તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે તો તે ભાજપની માનસિકતા દર્શાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસની સભામાં આવેલી ભીડને નિયંત્રિત કરનારી પોલીસને આ ઘટના દેખાઈ નહીં, જ્યારે આ સામાજિક સૌહાર્દ સાથે જોડાયેલો ગંભીર મામલો છે.
સંગઠને શું કહ્યું?
મંચનું શુદ્ધિકરણ કરનાર સંગઠને કોંગ્રેસના આરોપોનો સ્વીકાર કર્યો નથી. સંગઠનના હોદ્દેદારોનું કહેવું છે કે રામલીલા મેદાન ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો માટે જાણીતું છે. તેમનું કહેવું છે કે કોઈ પણ રાજકીય પક્ષે આ મંચનો ઉપયોગ એવા કાર્યક્રમો માટે ન કરવો જોઈએ, જ્યાં એવા નારા લગાવવામાં આવે જેને તેઓ મંચની પરંપરાની વિરુદ્ધ માને છે. તેમનો દાવો છે કે શુદ્ધિકરણ કોઈ વ્યક્તિ વિશેષ વિરુદ્ધ નહીં, પરંતુ મંચની ધાર્મિક પરંપરાના સન્માન માટે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ગુટખા ખાઈને પક્ષના વાલ્મિકી નેતા પર થૂંક્યા
जहाँ से मल्लिकार्जुन खड़गे ने भाषण दिया उस जगह को किया गया शुद्ध।
8 अगस्त को उत्तराखंड के हल्द्वानी में कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे की रैली रामलीला मैदान में हुई।
हिंदू वादी संगठन ने रैली के बाद इस स्थान को शुद्ध करने के लिए मंत्रोचारण और पूजा की।
कहा इस… pic.twitter.com/s6aXBVATc7
— Robin Singh Chauhan (@robinsinghchauh) August 12, 2026
ચૂંટણીના માહોલમાં વધી રાજકીય ગરમી
ઉત્તરાખંડમાં 2027 વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. કોંગ્રેસ અને ભાજપ બંને સતત મોટા નેતાઓની રેલીઓ આયોજિત કરી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પોતાની જનસભામાં યુવાનો, રોજગાર, ભ્રષ્ટાચાર અને રાજ્યના વિકાસ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો યુવાનોને ભ્રષ્ટાચાર વગર અને કોઈ ભલામણ વગર રોજગાર આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?
રેલીમાં ખડગેએ આરોપ લગાવ્યો, ‘અમિત શાહના આદેશ પર યુવાનો પર પેલેટ ગન ચલાવવામાં આવી, વોટર કેનન ચલાવવામાં આવ્યા, ટીયર ગેસ છોડવામાં આવ્યા, વીજળીનો કરંટ છોડીને બેરિકેડ્સ લગાવવામાં આવ્યા, ખીલીઓવાળી લાઠીઓથી લાઠીચાર્જ કરવામાં આવ્યો અને કેટલીક જગ્યાઓએ કરંટવાળી લાઠીઓ સુધીનો ઉપયોગ કરવામાં આવ્યો.’ તેમણે આગળ કહ્યું, ‘સંસદમાં સતત આ અંગે 15 દિવસથી અમે લોકો સવાલ પૂછી રહ્યા છીએ પરંતુ ન તો વડાપ્રધાન જવાબ આપી રહ્યા છે, ન તો ગૃહમંત્રી. સરકાર સંસદમાં જવાબ આપવાથી બચી રહી છે. શું આ જ લોકશાહી છે? શું જનતાના સવાલોના જવાબ આપવા સરકારની જવાબદારી નથી?’
आज भारत का पूरा education और employment system तबाह हो चुका है। डिग्री तो मिल रही है, लेकिन हाथ में हुनर नहीं है।
नई शिक्षा नीति 2020 ने 2025 तक 50% छात्रों को vocational education से जोड़ने का लक्ष्य रखा, जिसका 2% ही जमीन पर उतर सका है। सारी योजना हवा हवाई है।
दूसरी तरफ़… pic.twitter.com/XfMEgnb8ls
— Mallikarjun Kharge (@kharge) August 8, 2026
મંચના શુદ્ધિકરણનો વિવાદ વધ્યો
ત્યારે, ખડગેના ભાષણ બાદ હવે મંચના શુદ્ધિકરણને લઈને શરૂ થયેલો વિવાદ રાજ્યના રાજકારણમાં નવો મુદ્દો બની ગયો છે. એક તરફ કોંગ્રેસ આને દલિત વિરોધી માનસિકતા અને સામાજિક ભેદભાવનો મામલો બતાવી રહી છે, જ્યારે બીજી તરફ શુદ્ધિકરણ કરનાર સંગઠન આને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલું પગલું બતાવી રહ્યું છે.
જોકે, ભાજપે આ જૂથ સાથે કોઈપણ પ્રકારના સંબંધ હોવાનો ઇનકાર કર્યો અને કોંગ્રેસ પર રાજકીય ફાયદા માટે પાર્ટીની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપના રાજ્ય પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ખજાન દાસે દાવો કર્યો કે રામલીલા મેદાનમાં ખડગેની રેલી દરમિયાન કેટલાક એવા નારા લગાવવામાં આવ્યા જેનાથી સનાતન ધર્મીઓની લાગણી દુભાઈ હતી. જ્યારે કોંગ્રેસે તપાસ અને કાર્યવાહીની માંગ દોહરાવી છે.
આ પણ વાંચોઃ RSS આયોજિત શિવરાત્રીમાં દલિત બાળકોને અલગ જમવા બેસાડાયા!











