Waqf સુધારા બિલ લોકસભામાં પાસ, તરફેણમાં કેટલા મત પડ્યા?

Waqf Amendment bill ગઈકાલે લોકસભામાં પસાર થઈ ગયું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પરિણામોની જાહેરાત કરી, જાણો પરિણામ.
Waqf Amendment Bill

Waqf Amendment bill: વકફ સુધારા બિલ, 2025 લોકસભામાં પસાર થઈ ગયું છે. બિલના સમર્થનમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યાં હતા. હવે આ બિલ આજે રાજ્યસભામાં પસાર થશે. ગઈકાલે 2 એપ્રિલના રોજ લોકસભામાં આ બિલ પર દિવસભર ચર્ચા થઈ. શાસક અને વિપક્ષ બંને પક્ષોના સાંસદોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. આ ચર્ચા રાત્રે લગભગ ૧૧:૪૫ વાગ્યા સુધી ચાલુ રહી. એ પછી મતદાન પ્રક્રિયા લગભગ 12 વાગ્યે શરૂ થઈ.

પક્ષમાં ૨૮૮ મત, વિરોધમાં ૨૩૨ મત
મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પરિણામોની જાહેરાત કરી. તેમણે કહ્યું કે વકફ સુધારા બિલ, 2025 ના સમર્થનમાં 288 મત પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુ સંગઠનોએ માર્યો

અગાઉ, લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગઈકાલે લોકસભામાં વકફ સંશોધન બિલ 2025 રજૂ કર્યું હતું. દિવસભર ચાલેલી ચર્ચા દરમિયાન બંને પક્ષના સાંસદો વચ્ચે ખૂબ જ હોબાળો થયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચા દરમિયાન કહ્યું કે આ બિલ દ્વારા કેટલાક લોકો લઘુમતીઓને ડરાવવાનું કાવતરું ઘડી રહ્યા છે જેથી તેમનો મત બેંક તરીકે ઉપયોગ કરી શકાય.

જ્યારે AIMIM ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વકફ (સુધારા) બિલ, 2025 પર સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન પ્રતીકાત્મક રીતે બિલ ફાડીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.

આ પણ વાંચોઃ Waqf બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં

આ બિલ પર મતદાન 2 એપ્રિલે થવાનું હતું કારણ કે ઘણા પક્ષોએ વ્હીપ જારી કર્યા હતા. વ્હીપ એક લેખિત આદેશ છે જેનું પાલન પાર્ટીના બધા સભ્યો માટે ફરજિયાત છે. તે પક્ષના સભ્યોને મોકલવામાં આવે છે જેથી તેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતદાન દરમિયાન હાજર રહે.
લોકસભામાં બિલ પસાર કરવા માટે ઓછામાં ઓછા 272 મતોની જરૂર હતી. ભાજપના સાંસદોની સંખ્યા 240 છે. જો તેમના સાથી પક્ષો – જેડીયુના 12 સાંસદો, ટીડીપીના 16 સાંસદો, એલજેપીના 5 સાંસદો, આરએલડીના 2 સાંસદો અને શિવસેનાના 7 સાંસદો ઉમેરીએ, તો આ સંખ્યા 282 થાય છે.

આ પણ વાંચોઃ બુલડોઝરથી કોઈનું ઘર તોડી પાડવું એ બંધારણ તોડી પાડવા સમાન

જ્યારે રાજ્યસભામાં એનડીએના 125 સાંસદો છે, જ્યારે બિલ પસાર થવા માટે 118 મતોની જરૂર છે. સરકારને વિશ્વાસ હતો કે તેને નાના પક્ષો અને નામાંકિત સભ્યોનો પણ ટેકો મળશે.

અગાઉ ઓગસ્ટ, 2024માં, વક્ફ સુધારા બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, વિપક્ષના વિરોધ પછી, બિલને સમીક્ષા માટે JPC ને સોંપવામાં આવ્યું હતું. જેપીસીની ભલામણોને અનુસરીને, બિલને લોકસભામાં ફેરફારો સાથે ફરીથી રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ દલિત ભાઈએ રાખડી બાંધતી મુસ્લિમ બહેનનું મામેરું ભર્યું

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x