‘તમે દલિત છો? નીચે ઉતરી જાવ’ કહી BJP MLAએ સરપંચનું અપમાન કર્યું

'તમે દલિત છો? તો નીચે ઉતરો' કહી ભાજપના ધારાસભ્યે ગામના દલિત સરપંચને સ્ટેજ પરથી નીચે ઉતારી જાહેરમાં અપમાન કર્યું.
dalit news

વડાપ્રધાન મોદી અને RSSની જાતિવાદી-કોમવાદી લેબોરેટરીમાં ઉછરેલા ભાજપના સવર્ણ હિંદુ નેતાઓ ચૂંટણી આવે ત્યારે દલિતોના મત મેળવવા માટે તેમના પ્રત્યે ભારે સહાનુભૂતિનો દેખાડો કરે છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન સામા છેડાની હોય છે. એવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં આપણે જોયા-સાંભળ્યાં છે, જેમાં ભાજપના નેતાઓએ દલિતોની તેમની જાતિના કારણે અપમાન કર્યું હોય. આવું જ વધુ એક ઉદાહરણ ભાજપના એક ધારાસભ્યે પુરું પાડ્યું છે. જેમાં તેમણે એક કાર્યક્રમમાં ગામના સરપંચને ‘તમે દલિત છો? તો નીચે ઉભા રહો” કહીને દલિત સરપંચને સ્ટેજ પરથી નીચે ઉતારી જાહેરમાં અપમાન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો, જેમાં ભાજપના ધારાસભ્ય પીવી પાર્થસારથી એક દલિત સરપંચને સ્ટેજ પર આવતા અટકાવી રહ્યાં છે. આ વીડિયો આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના આડોનીનો હોવાનું કહેવાય છે. જેમાં ભાજપના ધારાસભ્ય પીવી પાર્થસારથી એક જાહેર કાર્યક્રમ દરમિયાન એક દલિત સરપંચને સ્ટેજ પર આવતા અટકાવી તેમનું અપમાન કરતા જોવા મળે છે. આરોપ છે કે, સરપંચ દલિત સમાજના હોવાનું જાણ્યા બાદ તેમણે આવું વર્તન કર્યું હતું.

આ ઘટના 16 જૂનના રોજ બની હોવાનું કહેવાય છે, જ્યારે ધારાસભ્ય તેમના મતવિસ્તારમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. વીડિયોમાં ભાજપ ધારાસભ્ય પાર્થસારથી ટોળામાં ઉભેલા સરપંચને બોલાવીને કહે છે, “અરે સરપંચ, અહીં આવો, તમે ત્યાં કેમ ઉભા છો?” જ્યારે સરપંચ આગળ આવવામાં ખચકાટ અનુભવે છે ત્યારે ધારાસભ્ય પૂછે છે, “ખ્રિસ્તી છો?”

આ પણ વાંચો: દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી

જવાબમાં, તેમની નજીક ઉભેલા તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના નેતા કહે છે, “સાહેબ, તે અનુસૂચિત જાતિ (SC) ના છે.” પછી વીડિયોમાં BJP MLA અને TDP નેતા સ્ટેજની સામેની જમીન તરફ ઈશારો કરીને સરપંચને સ્ટેજ પર આવવાને બદલે ત્યાં ઊભા રહેવાનું કહે છે. MLA કહે છે, “ઠીક છે, તો અહીં ઊભા રહો” અને સરપંચ ત્યાં શાંતિથી ઊભા રહે છે. આ દરમિયાન, TDP નેતા વારંવાર કેમેરાથી પોતાનો ચહેરો ઢાંકતી જોવા મળે છે, જાણે કે તે રેકોર્ડિંગથી નારાજ હોય.

આ વીડિયો સામે આવ્યા પછી, સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા યૂઝર્સે તેને જાહેરમાં જાતિવાદી અપમાન ગણાવ્યું છે. X (અગાઉ ટ્વિટર) પર એક વપરાશકર્તાએ લખ્યું, “કોણ વધુ જવાબદાર છે – દલિત સરપંચનું અપમાન કરનાર જાતિવાદી નેતા, કે પછી ચૂપ રહેનાર સરપંચ, જેણે સત્તાને આત્મસન્માનની ઉપર રાખી? આ મૌન જ તો દરરોજ દલિતો, મુસ્લિમો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનું અપમાન કરનારાઓને હિંમત આપે છે.”આંધપ્રદેશના કૂરનુલમાં ભાજપના ધારાસભ્ય પીવી પાર્થસારથીનો આ વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ એક દલિત સરપંચને સ્ટેજ ઉપર આવવાને બદલે નીચે ઉભા રહેવા કહે છે. જેને લઈને લોકો તેમની ભારે ટીકા કરી રહ્યા છે.

અન્ય એક યૂઝરે લખ્યું, “ભાજપના ધારાસભ્ય જાહેરમાં દલિત સરપંચને કહે છે – ‘ઓહ, એસસી છે?’ આમાં તેમની જીભ નથી લપસી પરંતુ, આ જ જાતિની સર્વોપરિતાનો અસલી ચહેરો છે.”આંધપ્રદેશના કૂરનુલમાં ભાજપના ધારાસભ્ય પીવી પાર્થસારથીનો આ વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ એક દલિત સરપંચને સ્ટેજ ઉપર આવવાને બદલે નીચે ઉભા રહેવા કહે છે. જેને લઈને લોકો તેમની ભારે ટીકા કરી રહ્યા છે.


જો કે હજુ સુધી, આ મામલે ભાજપના ધારાસભ્ય પાર્થસારથી કે ભાજપે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. એનો અર્થ કે થાય કે ભાજપની કથની અને કરણીમાં આભ-જમીનનું અંતર છે. તે દલિતોના સન્માનની વાતો કરે છે પરંતુ જાહેરમાં તેના જ ધારાસભ્યે એક દલિત સરપંચનું અપમાન કર્યું, છતાં આ મામલાને તે ખુલાસો કરવા યોગ્ય પણ નથી સમજતી. ભાજપના સવર્ણ હિંદુ નેતાઓ આરએસએસની જાતિવાદી-કોમવાદી લેબોરેટરીમાં ઉછરીને મોટા થયા છે અને તેમને મનુસ્મૃતિ આધારિત હિંદુ રાષ્ટ્ર બનાવવું છે, જેમાં જાતિ આધારિત વર્ણવ્યવસ્થા સ્થાપિત થયેલી હોય.

ભાજપ-સંઘનું આ કાયમી સ્ટેન્ડ છે અને એટલે વડાપ્રધાન ભલે કહે કે, “હું ડો.આંબેડકરને દિલમાં રાખું છું.” પરંતુ દલિતો પર સવર્ણ હિંદુઓ અને તેમના જ પક્ષના ધારાસભ્યો, નેતાઓ દ્વારા થતા અત્યાચારો મામલે તેઓ મીંઢું મૌન ધારણ કરીને બેસી જાય છે.

આ પણ વાંચો: એક જાગૃત દલિત યુવકને સરપંચ બનતો રોકવા કેવા કાવાદાવા થયા?

3 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x