Dalit News: આંધ્રપ્રદેશના તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ બી.એડ.માં અભ્યાસ કરતી એક દલિત વિદ્યાર્થીનીએ બે સહાયક પ્રોફેસરો પર જાતીય સતામણી અને ગર્ભવતી બનાવવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થી સંગઠનોએ બંને આરોપી સહાયક પ્રોફેસરોને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાંસદ મદિલા ગુરુમૂર્તિએ NCW અને શિક્ષણ મંત્રાલયને પત્ર લખીને પીડિતા માટે ઝડપી, પારદર્શક તપાસ, સુરક્ષા અને કાઉન્સેલિંગની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, આંધ્રપ્રદેશના તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ બી.એડ.માં અભ્યાસ કરતી એક દલિત વિદ્યાર્થીનીએ બે સહાયક પ્રોફેસરો, લક્ષ્મણ કુમાર અને શેખર રેડ્ડી પર જાતીય સતામણી અને ગર્ભવતી બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાથી યુનિવર્સિટી કેમ્પસમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે, અને વિદ્યાર્થી સંગઠનોએ આરોપી પ્રોફેસરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા, કડક કાનૂની કાર્યવાહી કરવા અને યુનિવર્સિટી કેમ્પસમાં મહિલાઓ માટે સલામતી વધારવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ
આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરાયા
યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારની ફરિયાદ બાદ, તિરુપતિ પશ્ચિમ પોલીસે કેસ નોંધ્યો અને આરોપી પ્રોફેસરો, લક્ષ્મણ કુમાર અને શેખર રેડ્ડીની ધરપકડ કરી. તપાસના ભાગ રૂપે, આરોપીઓના બે મોબાઇલ ફોન જપ્ત કરી સતામણી, બ્લેકમેલ અને બળજબરી કરવાના દાવાઓની ચકાસણી કરવા માટે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ફોટાં પાડ્યા, વીડિયો બનાવી બ્લેકમેલ કરી
YSRCP ના સાંસદ મદિલા ગુરુમૂર્તિએ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW), કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર લખીને આ મામલે તાત્કાલિક દરમિયાનગીરી કરવાની માંગ કરી છે. 7 ડિસેમ્બર, 2025 ના રોજ લખેલા પત્રમાં, સાંસદે જણાવ્યું હતું કે પીડિતાએ યુનિવર્સિટી અધિકારીઓને ઘણી લેખિત ફરિયાદો રજૂ કરી હતી. સાંસદે આરોપ લગાવ્યો હતો કે ડૉ. લક્ષ્મણ કુમારે વિદ્યાર્થીનીને તેના પર્સનલ ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવીને બ્લેકમેલ કરી હતી, અને તેનો દુરુપયોગ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણીને માનસિક ત્રાસ આપ્યો હતો અને તેણીને અભ્યાસ છોડી દેવા દબાણ કર્યું હતું.
આ પણ વાંચો: ભારતમાં બંધુઆ મજૂરોમાં 100 ટકા SC, ST અને OBC
નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી
ગુરુમૂર્તિએ આ મામલાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર તપાસની માંગ કરી હતી, જેમાં પીડિતાની સલામતી અને ગૌરવને પ્રાથમિકતા આપવામાં આવી હતી. તેમણે ગુનેગારો સામે કાઉન્સેલિંગ, રક્ષણ અને ઝડપી કાર્યવાહીની પણ માંગ કરી.
સાંસદે કહ્યું, “આરોપીનું વર્તન સત્તાનો ગંભીર દુરુપયોગ દર્શાવે છે, જેમાં તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને પીડિતા પર બિનજરૂરી દબાણ ઉભું કરી તેને લાંબાગાળાનું માનસિક નુકસાન પહોંચાડ્યું છે. સાંસદે ભાર મૂક્યો કે યુનિવર્સિટીઓ ડરના કેન્દ્રો નહીં, પણ શિક્ષણ માટે સલામત સ્થળ હોવી જોઈએ.
આ પણ વાંચો: દલિત પરિણિતાને ધમકી આપી 7 યુવકોએ ગેંગરેપ ગુજાર્યો











*જાતિવાદને ખતમ કરવાનું સાહસ દરેક આંબેડકર જીને દિલોદિમાગથી સમજનારા સક્ષમ અને ઈમાનદાર વ્યક્તિઓનું સંગઠનનું ગઠન કરવું જોઈએ, જેથી સાચા ન્યાય સુધી પહોંચી શકાય! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!