Dalit News: રાજસ્થાનના ઉદયપુરમાં થોડા દિવસ પહેલા એક દલિત કન્યાના વરઘોડાને જાતિવાદી રજપૂતોએ પોતાના ઘર પાસેથી નીકળતા અટકાવીને હુમલો કર્યો હતો. (Dalit Bindoli Dispute Rajasthan) આ ઘટનામાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસે આરોપી રાજપૂતોની ધરપકડ કરવામાં ઢીલ દાખવતા ભીમ આર્મીના કાર્યકરો દલિત કન્યાને ઘોડા પર બેસાડીને ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા.(Udaipur Dalit Bride Protest)
દલિત કન્યા ઘોડીએ ચઢી ન્યાય માગવા નીકળી

ઉદયપુરના ડબોક પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાવ ગામમાં એક દલિત કન્યાની બિંદોલી એટલે કે વરઘોડાને જાતિવાદી રાજપૂતો દ્વારા રોકીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં અને ન્યાયની માંગ સાથે ગુરુવારે હુમલાનો ભોગ બનનાર કન્યાએ કલેક્ટર કચેરીની બહાર અત્યંત આક્રમક અને અનોખું પ્રદર્શન કર્યું હતું. ભીમ આર્મી અને મેઘવાળ સમાજના સેંકડો લોકોના સમર્થન સાથે દુલ્હન ઘોડી પર સવાર થઈને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા રાજપૂતોનો હુમલો
મામલો શું હતો?
આ ઘટના ગત 29 એપ્રિલના રોજ બની હતી. હરિયાવ ગામમાં જ્યારે મેઘવાળ સમાજની દીકરી પૂજા મેઘવાળની બિંદોલી ((Pooja Meghwal Horse Riding Protest)) નીકળી રહી હતી, ત્યારે ગામના કેટલાક રજપૂત અને સવર્ણ જ્ઞાતિના લોકોએ તેમાં અવરોધ ઉભો કર્યો હતો. પીડિત પક્ષનો આરોપ છે કે વરઘોડો જ્યારે ગામના જાહેર માર્ગો પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા શખ્સોએ તેને રોકી દીધો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ એટલો હિંસક બન્યો કે હુમલાખોરોએ માસૂમ દુલ્હનને જબરદસ્તીથી ઘોડી પરથી નીચે ઉતારી દીધી હતી અને ત્યાં હાજર રહેલા લોકો સાથે મારામારી કરી હતી. આ ઘટનાને કારણે આખા ગામમાં તણાવ ફેલાઈ ગયો હતો અને પીડિત પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રજપૂત છોકરીએ દલિત વરરાજાની જાન રોકી તલવારોથી હુમલો કર્યો
राजस्थान के उदयपुर में दलित समाज की एक बेटी “पूजा मेघवाल” का अपनी शादी में घोड़ी चढ़ना कुछ जातिवादी तत्वों को पसंद नहीं आया और डीजे रूकवाकर बिंदौली पर हमला कर दिया👇🏼
मामला जब भीम आर्मी व ASP तक पहुंचा तो पूरे मान-सम्मान के साथ उस बहन को घोड़ी पर बैठाकर दल-बल के साथ जिला… pic.twitter.com/BfcVdGBctB
— Priyanshu Kumar (@priyanshu__63) May 8, 2026
પોલીસની ઢીલી કામગીરીથી દલિતોમાં રોષ
પોલીસની કામગીરી અને ધરપકડની ધીમી પ્રક્રિયાથી અસંતુષ્ટ દલિત સમાજના લોકો અને ભીમ આર્મીના કાર્યકર્તાઓ ગુરુવારે ઉદયપુરના ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યાંથી પૂજા મેઘવાળને ફરીથી અત્યંત સન્માનપૂર્વક ઘોડી પર બેસાડવામાં આવી હતી (૨. Bhim Army Udaipur Protest) અને શહેરના મુખ્ય બજારો અને માર્ગો પરથી તેની ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વહીવટીતંત્રને જગાડવાનો અને એ સંદેશ આપવાનો હતો કે દલિતોના બંધારણીય હકો અને સામાજિક સન્માન સાથે કરવામાં આવતી છેડછાડ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં.
12 આરોપીઓમાંથી ફક્ત 4ની ધરપકડ થઈ
દુલ્હન પૂજા મેઘવાળ અને સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે આ હિંસક હુમલામાં કુલ 12 જેટલા નામજોગ આરોપીઓ સામેલ હતા, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા અત્યાર સુધી માત્ર 4 આરોપીઓની જ ધરપકડ કરવામાં આવી છે. બાકીના 8 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર ફરી રહ્યા છે, જેના કારણે પીડિત પરિવાર અને સમાજમાં ભયનો માહોલ છે. કલેક્ટર કચેરી પહોંચેલા પ્રદર્શનકારીઓએ જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર સોંપીને માંગણી કરી છે કે હરિયાવ ગામની આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓને 24 કલાકમાં પકડવામાં આવે અને તેમના વિરુદ્ધ SC-ST ACT મુજબ કઠોર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ અનોખા પ્રદર્શને સમગ્ર રાજસ્થાનમાં ચર્ચા જગાવી છે અને દલિત સંગઠનોએ ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો આ આંદોલન આખા રાજ્યમાં ફેલાવવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજપૂત યુવકે કંકોત્રીમાંથી ડો.આંબેડકરનો ફોટો ફાડી પગ નીચે કચડ્યો











